Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 112
________________ ૯૯ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા : ૧૭-૧૮ ભાવાર્થ - ભગવાનની પ્રતિમાનું વર્ણન સાંભળીને ગ્રંથકારશ્રીને કે વિવેકી પુરુષને વિસ્મય થાય છે પુણ્ય પ્રકર્ષવાળા તીર્થકર કેવા હોય ? અને તેના સ્વરૂપને અભિવ્યક્ત કરનાર દેવવિમાનમાં રહેલ જિનપ્રતિમા કેવી હોય છે ? તેનું વર્ણન સાંભળીને વિસ્મય થાય છે. વળી ચાર ગતિમાં પરિભ્રમણરૂપ ભવભ્રમણના ભયને કારણે ભયથી ઉદ્વિગ્ન થયા છે તેવા મહાત્માઓ ભગવાનના ગુણને કારણે ભગવાનના સ્વરૂપના મર્મને દેખાડનાર જિનપ્રતિમાને ઝીલે છે અને ભગવાનની મુદ્રા જોઈને વિચારે છે કે આવા અસંગવાળા જીવોને સંસારમાં કોઈ કદર્થના નથી માટે તેમની ભક્તિ કરીને તેમના જેવા ગુણોને હું પ્રાપ્ત કરું તે પ્રકારના પ્રણિધાનપૂર્વક જિનપ્રતિમાને ઉપસ્થિત કરીને જેઓ મનમાં રાચે છે-માચે છે અને હર્ષમાં આવી ભગવાનની ભક્તિ રૂપે નાચે છે તેવા મહાત્માઓ સાચા મનથી ધર્મધ્યાનને પ્રાપ્ત કરે છે. પ/૧ળા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જિનપ્રતિમાનું વર્ણન સાંભળીને મહાત્માઓ હર્ષમાં આવીને રાચે-માચે અને નાચે છે. તે વખતે તે નાચનારા શું પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે – ગાથા : થઈ થેઈ કરતાં દે તે ભમરી, હર્ષે પ્રભુગુણ સમરી રે; ધન યોગ નિરાલંબન લય આણી, વશ કરતા શિવરાણી રે. ધન૧૮ ગાથાર્થ : ભગવાનની પ્રતિમાનું વર્ણન સાંભળીને તે પ્રતિમા આગળ થેઈ થઈ કરતાં ભાવથી નાચતા, હર્ષથી પ્રભુગુણ સ્મરીને હર્ષની અભિવ્યક્તિરૂપ ભમરી ફરે અને યોગ નિરાલંબનમાં લય આણી તે શિવરાણીને વશ કરે છે. I૫/૧૮II. ભાવાર્થ :પૂર્વમાં ગ્રંથકારશ્રીએ શાસ્ત્રવચનના બળથી જિનપ્રતિમાનું વર્ણન કર્યું અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152