Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 86
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ ગાથા : ૭, ૮-૯-૧૦ ગાથાર્થ : જિહાં હિંસા=જ્યાં બાહ્ય હિંસા હોય ત્યાં જિનની આજ્ઞા નથી, એમ જો સ્થાનકવાસી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે તો સાધુને વિહાર કેમ હોય ? હવે ભગવાનની પૂજામાં હિંસામૃત કર્મબંધ નથી તે સ્પષ્ટ કરે છે -- જયણાના ભાવમાં=યતનાપૂર્વક ભગવાનની ભક્તિના પરિણામમાં, કર્મબંધ નથી. કેમ નથી ? એથી કહે છે એ-યતનાપૂર્વક જિનપૂજા એ, શુભવ્યવહાર છે. Il૪/૭।। ૭૩ -- ભાવાર્થ: જિનપૂજામાં પ્રત્યક્ષથી દેખાતી જલાદિ જીવોની હિંસા જોઈને સ્થાનકવાસી કહે છે કે જ્યાં હિંસા હોય ત્યાં ભગવાનની આજ્ઞા હોય નહિ; કેમ કે ભગવાને અહિંસાપ્રધાન ધર્મ કહ્યો છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જો બાહ્ય હિંસાથી ભગવાનની પૂજામાં આજ્ઞા ન હોય તો સાધુને વિહા૨ ક૨વાની ભગવાનની આજ્ઞા કેમ છે ? અર્થાત્ વિહારમાં ભગવાનની આજ્ઞા હોઈ શકે નહિ; કેમ કે વિહાર કરવાથી વાયુકાયાદિ જીવોની હિંસા થાય છે. આ રીતે સાધુના વિહારના દૃષ્ટાંતથી પૂજામાં હિંસા નથી એમ સ્થાપન કરીને પૂજાની પ્રવૃત્તિથી હિંસાકૃત કર્મબંધ થતો નથી તે બતાવવા અર્થે કહે છે. જે શ્રાવક ભગવાનની ભક્તિમાં અનુપયોગી હોય તેવી કોઈ હિંસા ન થાય તે પ્રકારે યતનાપૂર્વક ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે ભગવાનની પૂજામાં જયણાનો ભાવ હોવાને કારણે કર્મબંધ નથી, પરંતુ ગુણવાનની ભક્તિ કરવાનો શુભવ્યવહાર છે. શુભવ્યવહારના સેવનથી ધર્મની જ પ્રાપ્તિ થાય, કર્મબંધની નહિ. માટે જિનપૂજામાં હિંસાનો દોષ નથી. II૪/૭ll Jain Education International અવતરણિકા : શાસ્ત્રમાં કૂપદૃષ્ટાંતથી જિનપૂજા શ્રાવકને ઇષ્ટ છે તેમ કહેલ છે તેને ગ્રહણ કરીને કોઈક કહે છે તે બતાવીને તેનું વચન યુક્ત નથી તે બતાવવા અર્થે ગાથા-૮થી ગાથા-૧૦ સુધી કહે છે 1 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152