Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 16
________________ અમે શ્વેતાંબર તમારી દિગંબરની) જેમ વિચાર્યા વિના (તત્ત્વની વિચારણા કર્યા વિના) સુધાપિપાસાદિને જ દોષસ્વરૂપ માનતા નથી કે જેથી અઢાર દોષોથી સર્વથા રહિત એવા પરમાત્મા શ્રી કેવલીને સુધાદિનો અભાવ માનવો પડે. ઘાતિના ઉદયથી ઉદ્ભવતા અજ્ઞાનાદિ દોષો શ્રી કેવલીપરમાત્મામાં ન હોવા છતાં, અઘાતી કર્મોના ઉદયથી ઉત્પન્ન થનારા સુધા-પિપાસા વગેરે તેઓશ્રીને માનવામાં કોઈ બાધક નથી. ૩૦-ળા 1 1 1 દિગંબરોએ કેવલજ્ઞાનીપરમાત્માઓને સુધાદિ માનવામાં જણાવેલા બાધકનું નિરાકરણ કરાય છે अव्याबाधविघाताच्चेत्, सा दोष इति ते मतम् । नरत्वमपि दोषः स्यात्, तदा सिद्धत्वदूषणात् ॥३०-८॥ “અવ્યાબાધ સુખનો ભડ થતો હોવાથી સુધાદિ દોષ છે-એવો જો તારો(દિગંબરનો) મત હોય તો, તને સિદ્ધપણાને દૂષિત(ભટ્ટ) કરનારું નરત્વ પણ શ્રી કેવલી પરમાત્મા માટે દોષસ્વરૂપ માનવાનો પ્રસખ આવશે.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. જેનો આશય સ્પષ્ટ છે કે કેવલીપરમાત્માને સુધા તૃષા વગેરે માનવામાં આવે તો તેઓશ્રીના અવ્યાબાધ નિરતિશય સુખનો વ્યાઘાત થાય છે. શ્રી કેવલીપરમાત્માને સર્વોત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થયેલી

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58