Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 29
________________ ઉદયથી થતી આહારાદિગ્રહણની પ્રવૃત્તિ પણ મોહજન્ય નથી... ઈત્યાદિ સમજી શકાય છે.) ૩૦-૧૫|| “શ્રી કેવલીપરમાત્માને ઈચ્છાનો અભાવ હોવાથી વસ્તુતઃ દેશનાની પ્રવૃત્તિ તેઓશ્રીને છે જ નહિ. સ્વભાવથી જ તેઓશ્રીને તે તે ચોક્કસ સ્થાને અને ચોક્કસ કાળે દેશના હોય છે. ભોજનની જેમ જ જો તેઓશ્રી દેશનાદિની પ્રવૃત્તિ કરતા હોય તો તેને મોહજન્ય માનવાનું ઈષ્ટ જ છે''-આ પ્રમાણેની દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે यत्नं विना निसर्गाच्चेद्, देशनादिकमिष्यते । भुक्त्यादिकं तथैव स्याद् दृष्टबाधा समोभयोः ||३०-१६।। “પ્રયત્ન વિના સ્વભાવથી જે, શ્રી કેવલી પરમાત્માની દેશનાદિની પ્રવૃત્તિ છે એમ માનવાનું ઈષ્ટ હોય તો તેઓશ્રીની આહારાદિની પ્રવૃત્તિ પણ તે જ રીતે સ્વભાવથી થાય છે એમ માનવામાં પણ કોઈ દોષ નથી. યદ્યપિ આહારાદિની પ્રવૃત્તિ સ્વભાવથી નથી : એ પ્રત્યક્ષ દેખાય છે. અર્થાદ્ શ્રી કેવલીપરમાત્માની આહારાદિની પ્રવૃત્તિને સ્વાભાવિક માનવામાં પ્રત્યક્ષનો બાધ છે. પરંતુ એવો બાધ તો દેશનાદિને સ્વાભાવિક માનવામાં પણ છે.'' આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. . એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે ૨૪ R 000 E

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58