Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 34
________________ આઠમા હેતુનું નિરાકરણ કરવાનો આરંભ કરાય છેभुक्त्या या सातवेद्यस्योदीरणापाद्यते त्वया । साऽपि देशनयाऽसातवेद्यस्यैतां तवाऽऽक्षिपेत् ॥३०-१७॥ તમારા(દિગંબરો) વડે ભોજનના કારણે જે શાતાવેદનીયકર્મની ઉદીરણાનું આપાદન કરાય છે, (અર્થાત્ અમારા મતમાં દોષ દર્શાવાય છે.) તે ઉદીરણા (તાદશ દોષ) તમારા મનમાં દેશનાથી અશાતા વેદનીયકર્મની ઉદીરણાને ખેંચી લાવશે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે શ્રી કેવલપરમાત્મા જો વલાહાર કરે તો તેઓશ્રીને શાતાદનીયકર્મની ઉદીરણા કર્યાનો પ્રસ આવશે. તેના અનુસંધાનમાં આ શ્લોકથી જણાવ્યું છે કેભોજનની ક્રિયાથી શાતાની ઉત્પત્તિ થતી હોવાથી કવલાહારથી શાતાવેદનીયર્મની ઉદીરણાનો પ્રસવું આવે છે. આ પ્રમાણે શાતા વેદનીયકર્મની ઉદીરણાનું આપાદાન કરનારા દિગંબરોને, એવી રીતે જ અશાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસ આવે છે. કારણ કે ભગવાનની દેશનાથી પણ પરિશ્રમના કારણે દુઃખનો સંભવ હોવાથી અશાતાવેદનીયકર્મની ઉદીરણાનો સંભવ છે જ. દેશના પ્રયત્ન વિના સ્વભાવથી જ થાય છે.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે દેશના પ્રયત્નજન્ય છે-એ આ પૂર્વે જ | 当当当当当当当当坐到:

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58