Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેના પર ધૂળ લાગી ન જાય તે માટે વસ્ત્ર પણ રાખેલું હતું. મછરદાની બાંધેલી હતી. તે શવ્યા ઘણી જ સુંદર
તે આજનિક (ચર્મમય વસ્ત્ર વિશેષ–તે સ્વભાવથી જ કેમળ હોય છે) રૂનાં રેસા, બૂર નામની વનસ્પતિ, નવનીત (માખણ) તથા આક કે સેમલ આદિના રૂના સ્પર્શ જેવી કે મળી હતી. જેનારાનાં મનમાં આનંદ પેદા કરતી હતી. દર્શનીય નેત્રને સુખદાયી હોવાથી ફરી ફરીને જોવા લાયક હતી. અભિરૂપ હતી–પ્રત્યેક જેનારની અભિમુખ હતી–તેને જોતા જોતા કોઈ ધરાતું નહીં એટલે કે તે અત્યંત રમણીય હતી. અપૂર્વ શિલ્પકળાના ચમત્કારવાળી હોવાથી તે અસાધારણ સુંદર હતી.
અપૂર્વ પુણ્યશાળી જીવને શયન કરવા લાયક એવી શય્યામાં સુખપૂર્વક સૂતેલાં ત્રિશલાદેવીએ મધ્યરાત્રે, જ્યારે તે ગાઢ ઉંઘમાં પણ ન હતાં અને જાગતાં પણ ન હતાં, આછી નિદ્રાવસ્થામાં હતાં, ત્યારે આગળ જે કહેવાનાં છે તે હાથી આદિનાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે શુભ ફળનાં સૂચક હોવાના કારણે ઉદાર હતાં, આરેગ્યજનક હોવાથી કતયાણકારી હતાં, શાન્તિજનક હોવાથી શિવરૂપ એટલે કે ઉપદ્રવહારી હતાં. નવી-નવીન સુખને ઉત્પન્ન કરનારાં હોવાને કારણે ધન્ય-ભાગ્યોદયજનક હતાં. અશુભનું નિવારણ કરનારાં હોવાથી મંગળકારી હતાં, ત્રણ લોકની સમૃદ્ધિનાં કારણ હોવાથી સશ્રીક હતાં. આ લોક-પરલોકની વિપત્તિનું નિવારણ કરનારાં હોવાને કારણે હિતકર હતાં, ઈચ્છિત સુખનાં જનક હોવાથી સુખકારી હતાં. સર્વે માણસેનાં મનમાં અનુરાગ ઉત્પન્ન કરનારાં હોવાથી પ્રીતિકર હતાં. આ પ્રકારનાં ચૌદ મહાસ્વપ્નને જોઈને ત્રિશલાદેવી જાગી ઉઠયાં તે સ્વને આ પ્રમાણે છે-(૧) ગજ (૨) વૃષભ (૩) સિંહ (૪) લમી (૫) માળા (૬) ચન્દ્રમા (૭) સૂર્ય (૮) વજા-પતાકા (૯) કળશ (૧૦) કમળ વાળું સરોવર (૧૧) સાગર (૧૨) વિમાન (૧૩) રત્નને ઢગલો (૧૪) ધૂમાડા વિનાને અગ્નિ. અસૂ૦૧૪
ગજસ્વપ્નવર્ણનમ્ |
૧-મજ સ્વપ્ન મૂળને અર્થ–“સરા તિરાઈત્યાદિ.
તેઓમાં સૌથી પહેલાં ત્રિશલા ક્ષત્રિયાણી શ્રેષ્ઠ હાથીને જોવે છે. તે હાથી ચાર દંતશૂળવાળો હતો. તેનું શરીર ઘાયું ઉંચું હતું તથા નિર્જળ વિશાળ જળધર (મેઘ), કપૂર, હાર, બરફ, જળ, ક્ષીરસાગર, ચન્દ્રમાનાં કિરણે તથા રજતપર્વતના જે સફેદ હતા. તે ઉડતાં, તથા મનહર ગુંજારવ કરતાં ભમરાઓથી સુશોભિત, સુખન્ધવાળા, મહાજળધારાવાળા કપાળ (ગંડસ્થળે) ને કારણે મનહર હતું. તે ગજ ઇન્દ્રના હાથી (અરાવત) જે લાગતો હવે, સુંદર લીલા કરનારે હતું, જળથી પરિપૂર્ણ અને આડમ્બરયુક્ત વિશાળ મેઘાની ગર્જના જે ગંભીર અને મનોહર દેવનિ (અવાજ) કરનારો હતા, નયનેને આનન્દ દેનારો હતે, શઠ હાથીનાં બધાં પ્રશસ્ત લક્ષણવાળે હતે, ઉત્તમ જાવાળે તથા મંગળ-રૂપવાળે હતો. સૂ૦૧૫
ટકાને અર્થ‘ત્તા ઘર તિરા' નુત્યાદિ તે ચૌદ મહાસ્વનેમાંથી, ત્રિશલા ક્ષત્રિયાણીએ, પહેલાં સ્વપ્નમાં ગજરાજજોયો. તે ગજરાજ કે હવે તે કહે છે-તે ચાર દંકૂશળવાળા હતે. ઊંચા શરીરવાળો હતે. જળરહિત મહામેથ,કપૂર,
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૨૫