Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષય)થી લઈને ક્ષીણકેવળજ્ઞાનાવરણત્વ સુધીના પાંચ ગુણ, પાંચ પ્રકારના જ્ઞાનાવરણ કર્મના ક્ષયરૂપ છે. ક્ષીણ— ચક્ષુ નાવરણત્વથી લઇને ક્ષીણુસ્ત્યાનદ્ધિત્વ સુધીના નવ ગુણ, નવ પ્રકારના દર્શનાવરણીયકમની ક્ષીણતા રૂપ છે. ક્ષીણસાતાવેદનીયત્વ અને ક્ષીણઅસાતાવેદનીયત્વ, એ પ્રકારના વેદનીય કર્માંની ક્ષીણતારૂપ છે. ક્ષીદનમાહનીયત્વ અને ક્ષીણચારિત્રમાહનીય, એ એ ગુણ બે પ્રકારના મોહનીયકની ક્ષીણતારૂપ છે. ક્ષીણુનરકાયુષ્યત્વથી લઇને ક્ષીદેવાયુષ્ઠવ સુધીના ચાર ગુણ, આયુક`ની ક્ષીણતારૂપ છે. ક્ષીણશુભનામત્વ અને ક્ષણઅશુલનામત્વ એ બે ગુણુ, બે પ્રકારના નામકર્માંની ક્ષણુતારૂપ છે. ક્ષીણચ્ચગેાત્રત્વ અને ક્ષીણનીચગેત્રત્વ એ એ ગુણુ, એ પ્રકારના ગેાત્રકની ક્ષીણતારૂપ છે. ક્ષીણદાનાન્તરાયત્વથી લઇને ક્ષીણવીર્યાન્તરાયત્વ સુધીના પાંચ ગુણ, પાંચ પ્રકારના અન્તરાય કર્માંની ક્ષીણતારૂપ છે. આ એકત્રીસ ગુણ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિના સમયે એક સાથે રહેનારા છે. તે ઉપરાંત ખીજા પણ વિવિધ પ્રકારના ગુણા છે તે ગુણુરૂપી રત્નાની રાશિ થઇને તે શાશ્વત સિદ્ધ થશે. (સ્૦ ૪૩)
નિર્ધમાગ્નિ સ્વપ્નફલમ્ ।
૧૪–નિધૂમ અગ્નિના સ્વપ્નનું ફળ
મૂલના અનિન્દ્રમસિદિય 'લળેળ' ઇત્યાદિ. નિમ અગ્નિનું સ્વપ્ન જોતાં એમ સમજાય થાય છે કે, આ બાળક, અગ્નિ સમાન પવિત્ર, જાજાલ્યમાન, અને પાવન-કર્તા બનશે.
ધ્યાનરૂપી અગ્નિ દ્વારા, અનાદિકાળનું આત્માનું મલિનપણું શેાધવામાં આવશે. શુકલ ધ્યાન દ્વારા, ઘનઘાતિ કર્મીનો ક્ષય થશે. આ કપડલ દૂર થવાને કારણે, કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.
આ સંપૂર્ણ જ્ઞાન દ્વારા, ત્રણે કાળના સમસ્ત પદાર્થાંના સ્વભાવને જાણશે. વિવિધ પ્રકારના કઠિન અને કઠિનતર તેમજ કઠિનતમ અભિગ્રહ કરીને અને તે ઉપરાંત નાના પ્રકારનું તપશ્ચરણ આદરીને, જાજવલ્યમાન અગ્નિ સમાન, આ બાલક તેજોમય બનશે.
ભવના કારણ ભૂત કર્મોના ક્ષય કરશે, લેક્ષા-રહિત બનશે, અવિચળ પણ થશે. શુકલ ધ્યાનને ત્રીજો પાયા પરમ નિર્જરાનું કારણભૂત છે. આ પાયામાં સૂક્ષ્મક્રિયાને સૂક્ષ્મ અંશ અનિવૃત્તિપણે હોય છે. આ ‘પાયા’માં અનન્ત કમૅમ્પના ક્ષય થાય છે. આ બાળક, ઉપરનાશુકલ ધ્યાનના ત્રીજે પાયે આરૂઢ થશે. ને ક`કલંકને સદંતર દૂર કરશે.
શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ સાથે, ઉર્ધ્વગતિ રૂપ પરિણમન વાળા પણ થઈ રહેશે.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૫૪