Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 302
________________ ૨૮૩ અંગ્રેજીમાં ગીતોને અર્થ The Lord's Song કરવામાં આવે છે. તેમ છતાં સાચી રીતે તો “Sung by Lord” એમ કહેવું જોઈએ. ગીતામાં બ્રહ્મવિદ્યા, જ્ઞાન, કર્મ, યોગ, જગત ભક્તિ જેવા વિષયોના વિચારો રહેલા છે. તે ઉપરથી ગીતાને તત્ત્વજ્ઞાન સાથે સંબંધ છે એમ સ્પષ્ટ થાય છે. પ્રકરણ-૪ ગીતા એટલે ગુરુ શિષ્યની કલ્પના વડે આત્મવિદ્યા ઉપદેશાત્મક કથા વિશેની માહિતી. દા.ત. ભગવદ્ગીતા, રામગીતા, ગીતા વિશેના વિવિધ વિચારોને અંતે એટલે જૈન જીવન શૈલીની સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિચારસરણી આજે દેશપરદેશમાં આવકારદાયક બનતી જાય છે. ત્યારે જૈન ગીતા કાવ્યોમાં પ્રગટ થયેલી માહિતી સૌ કોઈ માટે એક જૈન તરીકે અનન્ય ઉપકારક બને તેવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે. અન્ય દર્શનીઓને ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના વારસાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અત્યંત ઉપયોગી સંદર્ભ મળે છે. ગીતા કાવ્યોનું સર્જન કરનાર ત્યાગી અને વૈરાગી મુનિવૃંદ હોવાથી એમની જ્ઞાનોપાસનાના પરિપાકરૂપે આત્મવિકાસને પોષક અને પૂરક વિચારોનું ભાથું પ્રાપ્ત થાય છે. શિવમંદિરમાં પહોંચવા માટે સોપાન સમાન ગરજ સારે છે. તત્ત્વની કઠિન અને દુર્બોધ વિચાર સૃષ્ટિને પામવા માટે ગીતા કાવ્યોના સારભૂત વિચારોનું ચિંતન કરવાથી આત્મતત્ત્વની વિશિષ્ટ કોટિની ઝાંખી થતાં અપૂર્વ ને અલૌકિક આત્મીય આનંદાનુભૂતિનું સંસ્મરણ જીવનની એક ચમત્કાર પૂર્ણ ઘટના બને છે અને આત્મજાગૃતિના માર્ગમાં વિશેષ પુરુષાર્થની આત્મ સાક્ષાત્કાર થાય તો તે જીવનનું સાફલ્યપણું કહેવા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો ન હોય તેવી વ્યક્તિને માટે ગીતાની સામગ્રી જૈન દર્શનના જ્ઞાન માટેનું એક આધારભૂત સાધન છે. જનસાધારણને ગીતાના રહસ્ય સમજવા માટે ગુરુગમની આવશ્યકતા રહે છે. વિદ્વાનોને માટે દર્શન શાસ્ત્રનો તાત્વિક જ્ઞાન પ્રાપ્તિને આસ્વાદવામાં અનુપમ આનંદ પ્રદાયક નીવડે તેવી છે. આ બુદ્ધિસાગરસૂરિની ગીતાઓ સંસ્કૃતમાં હોવા છતાં સરળ, સુગ્રાહ્ય શૈલીમાં રચાઈ છે. વિનયવિજયજી ઉપા. અને યશોવિજયજી ઉપા.ની ગીતા સૃષ્ટિ ધર્મના સાર ગર્ભિત બને તેમાં કોઈ નવાઈ નથી અંતે તો જ્ઞાનોપાસનાનું ફળ શુદ્ધ ઉપયોગ દ્વારા ઉપરોક્ત સિદ્ધિ મેળવવાનું છે. એવા નિશ્ચિત વિચારથી આદરેલી સત્ પ્રવૃત્તિ જન્મ, જરાને મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે. ભક્તિ માર્ગની તુલનામાં જ્ઞાન માર્ગ દુર્બોધ ગણાય તેમ છતાં તેમાં પુરુષાર્થ કરવામાં આવે તો ભક્તિ સમાન સહજ સાધ્ય એવો જ્ઞાનમાર્ગ મુક્તિ દાયક બને છે. સાધકના પક્ષે પુરુષાર્થની ઉણપ કે પ્રયત્નોની અલ્પતાનો દોષ ન દેતાં સતત સાધનામય બનવાથી જીવનજ્યોત ઝળહળતી બનીને આત્મા પરમાત્માના મિલનના અભ્યુદયનો અપૂર્વ અવસર પ્રાપ્ત થાય છે એટલે ગીતા કાવ્યોનું દર્શન ઉચ્ચ કોટીનું હોઈ પરમોચ્ચ પદની પ્રાપ્તિનો રાજમાર્ગ બને છે. પંડિત દેવચંદ્રજીના મહાવીરસ્વામીના સ્તવનની ગાથામાં આ જ વિચાર વ્યક્ત થયો છે. Jain Education International સ્વામી દરિશન સમો નિમિત્ત લહી નિર્મળો, જો ઉપાદાન એ શુચિ ન થાશે, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392