Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 358
________________ પ્રકરણ-૭ ૩૩૯ શહેર ગુજરાત રેવાશી જાણો વિશા શિરમાલી નાત પરિમાણો, વાઘેશ્વરીની પોલમાં રહે છે, જેહવું છે તેવું સુરશશિ કહે છે. નથી જાણતો ગણને ભેદ કોઈ કરશો મમુજ પરખેદ, કવિજન આગલ મહારીથી ગતિ દોષ ટાલશે માતા સરસતી. સૂત્રસિદ્ધાંત નથી હું ભણ્યો જાડા રેશમનો દોરડો વણ્યો, વાત સાચી છે કાયામાં જોજો વિવેકી પુરુષો વિચારી લેજે. (જૈન ગૂર્જર કવિઓ ભા. ૬-૩૧૯ ભાવના વિલાસ કવિ લક્ષ્મી વલ્લભ-રાજ-ક્ષેમરાજે ભાવના વિલાસ નામની કૃતિ સં. ૧૭૨૭ના પોષ વદ-૧૦ના રોજ હિન્દી ભાષામાં રચી છે. તેમાં અનિત્ય, અશરણ, સંસાર અને એકત્વ એમ ચાર ભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે. દષ્ટાંતરૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. તેમાં “વિલાસ” શબ્દ પ્રયોગ છે એમ દર્શાવ્યું છે. પ્રણમિ ચરણયુગ પાસ જિનરાજ જુકે, વિધિનકે ચૂરણ હૈ પૂરણ હૈ આસકે. દિઢ દિલમાંઝિ ધ્યાન ધરિ શ્રુતદેવતાકો, સેવૈ તે સંપૂરત હૈ મનોરથ દાસકે. ગ્યાનદગદાતા ગુરૂ બડે ઉપગારી મેરે, દિનકર જૈસે દીપે ગ્યાન પરકાસકે. ઇનકે પ્રસાદ કવિ રાજ સદા સુખકાજ, સવીએ બનાવત હૈ ભાવના વિલાસ કે. જૈન ગૂર્જર કવિઓ ભા. ૪-૩૪૮ ૧૫. “તરંગ સીમંધરસ્વામી શોભા તરંગ ‘તરંગ' સંજ્ઞાવાળી શ્રી સીમંધરસ્વામી શોભા કૃતિ કવિ તેજપાલે સં. ૧૯૮૨માં ૫ ઉલ્લાસમાં વિભાવન કરીને રચી છે. દષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે. (૩ ૨૪૧) આદિ-રાગ ગુડી તાલ અડતાળુ ઋષભ અજિત સંભવજિનો, શ્રી જૈનેન્દ્ર દિવાકરા અરિહાત્રિભોવનચંદા રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392