Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 233
________________ પાત્રો ને પ્રસંગોને ગૌણ કરીને મુખ્યત્વે તેમાં રહેલા સારભૂત તત્વને ઓળખવાનું પ્રયોજન રહેલું છે. આવા પ્રયોજનથી ચારિત્રાત્મક ગીતાઓનું મૂલ્યાંકન કરતાં ગીતા કાવ્યોના પાયામાં રહેલો તત્વનો સંદર્ભ પામી શકાય છે. સાધ્ય અને સાધનનો ભેદ સમજનારને માટે ચરિત્રાત્મક ગીતા કે તત્વ ગીતા જેવો સૂક્ષ્મ ભેદ રહેતો નથી. ચારિત્ર સાહિત્ય એ સાંસ્કૃતિક વારસાનો કિંમતી વૈભવ છે. તેમાંથી પ્રત્યેક યુગના બાળકોને યુવાનોને જીવન જીવવાનું અભિનવ ચૈતન્ય પ્રાપ્ત થાય છે. ચરિત્ર દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રગટીકરણ થાય છે. નાયકના વ્યક્તિત્વનાં લક્ષણો અન્ય વર્ગને પણ પ્રભાવોત્પાદક બનીને જીવન ઘડતરમાં માર્ગદર્શક બને છે. પ્રત્યેક વ્યક્તિની વિકાસ યાત્રામાં કોઈ એકાદ મહામાનવ સંત કે ભગવાનના ચરિત્રનો પ્રભાવ પડેલો હોય છે. જૈન સાહિત્યમાં ચરિત્રો લખવાનો પ્રારંભ ઈ.સ. ૪૫૩ થી થયો છે. વલ્લભીપુરમાં જૈન શ્રમણ સભા મળી હતી ત્યાર પછી ચરિત્રોની પરંપરા શરૂ થઈ છે. આવા ચરિત્રો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ગુજરાતી ભાષામાં તેની રચના થઈ છે. વિવિધ કાવ્ય પ્રકારોમાં ચરિત્રાત્મક નિરૂપણ થયું છે તે જ પ્રમાણે કવિઓએ સમયે સમયે ચરિત્રોનું સર્જન કરીને સાહિત્યને સમૃદ્ધ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. ચરિત્રાત્મક ગીતાના સંદર્ભમાં ઉપરોક્ત વિગતો સમર્થન આપે છે. જૈન સાહિત્યની ગીતાઓ મુખ્યત્વે તત્વજ્ઞાનના વિષયોનું પ્રતિપાદન કરીને સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં રચાયેલી પ્રાપ્ત થાય છે. ‘ગીતા’ શબ્દની સાથે સિદ્ધાંત તત્વજ્ઞાન કે દર્શન શાસ્ત્રની વિચારધારાનો સંબંધ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. તેમ છતાં ચરિત્રાત્મક નિરૂપણ કરતી ફાગુ કાવ્ય પ્રકારની કેટલીક કૃતિઓમાં ‘ગીતા’ શબ્દનો પ્રયોગ થયો છે. તે ઉપરથી ગીતા કાવ્યોનો બીજો પ્રકાર ચરિત્રાત્મક નિરૂપણનો છે. ગીતામાં ભગવાનની વાણી અને તેનો મહિમા ગાવાનો સંદર્ભ છે. તેવી રીતે ચરિત્રાત્મક ગીતામાં તીર્થંકર ભગવાન કે સાધુ જીવનનો મહિમા ગાવામાં આવ્યો છે. એવો સંદર્ભ કૃતિઓમાંથી મળી આવે છે. મહાન પુરુષોના ગુણગાન ગાવાની પ્રણાલિકા કોઈ નવી નથી. ધાર્મિક ગ્રંથોમાં ચરિત્રાત્મક સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે સાહિત્ય વિશ્વમાં પણ ગદ્ય-પદ્યમાં ચરિત્રોનું નિર્માણ થયું છે. પ્રત્યેક ચરિત્રના પાયામાં વિશિષ્ટ ગુણોનું પ્રગટીકરણ કરીને જનતાને તે તરફ અભિમુખ થવા માટે સૂચન થાય છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિના જીવનમાં રસ છે. આ જીવનરસ - ૨૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278