Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 273
________________ પ્રકરણ ૪ ઉપસંહાર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાન અને ભક્તિ માર્ગની બે વિચારધારા પ્રચલિત હતી. જૈન અને જૈનેતર કવિઓએ આ માર્ગની વૈવિધ્યપૂર્ણ દીર્ઘ અને લઘુ કાવ્યકૃતિઓનું વિપુલ પ્રમાણમાં સર્જન કરીને ભિન્ન રૂચિવાળા જન સાધારણને પોતાને ઈષ્ટ માર્ગમાં ઉપાસના કરવા માટેનો ભવ્ય વારસો પૂરો પાડયો છે. ભક્તિ સહજ સાધ્ય છે તેમાં અતૂટ શ્રદ્ધા ને સમર્પણની ભાવના કેન્દ્ર સ્થાને છે. જ્ઞાન માર્ગ બુદ્ધિની કસોટીએ ચઢીને પરિપકવ થતાં શ્રધ્ધા દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં ઉપકારક નીવડે છે. જ્ઞાનમાર્ગ ગહન, ગંભીર અને રહસ્યમય છે તેમાં પ્રવેશ કરવા માટે જૈન ગીતા કાવ્યોના ગ્રંથોનો પ્રાથમિક પરિચય આ માર્ગનું વાસ્તવિક દર્શન કરાવે છે. ગીતા કાવ્યોની સુષ્ટિ સાગરસમાન વિસ્તાર વાળી છે તેના રહસ્યને પામવા માટે સમય, શક્તિ ને સ્વાધ્યાયના ત્રિકોણમાં પૂરાઈ જવાની તૈયારી હોય તો, સમુદ્રમાં મરજીવા પ્રાણાંત કરે મોતી-રત્ન મેળવે છે, તેમ આત્મસ્વરૂપની અસલ સંપત્તિ, વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં આગમન થવા માટે ઉપકારક નીવડે છે. ઉપાયશોવિજયજી અને આ. બુદ્ધિસાગરસૂરિએ નય-નિક્ષેપ અને સ્વાદ્વાદથી સર્વધર્મ સમભાવની ભાવના દ્વારા એકતામાં વિવિધતાનાં દર્શન કરાવ્યાં છે. તેવી રીતે જૈન સાહિત્યના અન્ય ગ્રંથો - ગીતાના પાયાના સિદ્ધાંતોનું આ પ્રકારનું વિવેચન કરવાની અર્વાચીન કાળમાં તાતી આવશ્યકતા છે. ધાર્મિક સંકુચિતતામાંથી મુક્ત થઈને આત્મસિદ્ધિના ચરમ લક્ષ બિન્દુથી આ પ્રવૃત્તિનો વિસ્તાર વધે તો જૈન ધર્મની સવિ જીવ કરું શાસન રસિની ભાવના ચરિતાર્થ થાય અને ધર્મ દ્વારા શાંતિનું સામ્રાજ્ય સ્થપાય પરિણામે રાષ્ટ્રીય એકતા સિદ્ધાંત પણ ફળીભૂત થાય. જ્ઞાનમાર્ગની સાધના અતિ કઠિન છે. પણ તેમાં પ્રવેશ કરનારને અવશ્ય સિદ્ધિ મળે તેમાં કોઈ શંકા નથી. જો કોઈ ઉણપ હોય તો સહૃદય પુરુષાર્થની. એક એક ગીતાના વિચારો એટલા બધા ઊંડા છે કે ક્ષણે ક્ષણે તેના રહસ્યનું ઉદ્ધાટન થાય છે. સ્વાધ્યાયલક્ષી આવી પ્રવૃત્તિ જૈન સાહિત્યના રસિક વર્ગમાં વધુ વિસ્તાર ૨૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278