Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 253
________________ ભાવ ભગતભર ગાયો, પાયો પરિમાણંદ, કવિવર સિંધુ સુધાકર રંગ વિમલ બુધરાય બુધવર કનક વિમલ ગુરૂ સુરગુરૂ બુદ્ધિ સહાય...૩પ તાસ પયકમલ સેવા પસાહિં કેસર વિમલ જંપઈ ઉછાહિ, રંગિસ આદિજિનરાય ગાયો દિન દિનૈ અધિક આનંદ પાયો... ૩૬ ઈતિ શ્રી આદિજિન ગીતા સંપૂર્ણ (હસ્તપ્રતને આધારે આ ગીતા છાપવામાં આવી છે.) (‘શ્રી કૈલાસ સાગરસૂરિ જ્ઞાન ભંડાર, કોબાના સૌજન્યથી') આદિ જિન ગીતા આદિ જિન ગીતાના કવિ કેસરવિમલ ઉપા, રંગવિમલના શિષ્ય શ્રી ઉપા. કનકવિમલના શિષ્ય હતા. ગુરુકૃપા વગર સર્જન કાર્ય થાય નહિ તેનો પણ કવિએ ઉલ્લેખ કર્યો છે. તેઓશ્રી ઓગણીસમા શતકમાં ૧૮૪૭ના સમયમાં થયા હતા. “તાસ પય કમલ સેવા પસાહી કેસર વિમલ જપઈ ઉછાહિ રંગીસુ આદિ જિન રાજ ગાયા દિન દિન અધિક આનંદ પાયો II ૩૬ |’ આદિ જિન ગીતામાં ૩૬ કડીઓ છે. વસ્તુ નિરૂપણમાં દુહા અને ફાગ એમ બે વિભાગ છે. અહીં દુહાની રચના વસ્તુ નિર્દેશાત્મક નથી પણ તેના વિશ્લેષણના નમૂનારૂપ છે. આદિજિન ગીતાએ ચરિત્રાત્મક નિરૂપણ કરતી કાવ્યકૃતિ છે. તેમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથના ચરિત્રનો મિતાક્ષરી પરિચય થાય છે. ફાગુ, રાસ, વિવાહલુ જેવી કાવ્ય રચનાઓમાં વ્યક્તિ વિષયક શીર્ષક રચનાનો મધ્યકાલીન સમયમાં પ્રચાર વિશેષ હતો, તઅનુસાર અહીં કવિએ આદિનાથ ભગવાનના નામથી શીર્ષક યોજ્યું છે. સમગ્ર કૃતિના કેન્દ્રમાં આદિનાથ હોવાથી આ શીર્ષક ઔચિત્યપૂર્ણ છે. વળી તે ઉપરથી વિષય વસ્તુનો પણ પ્રથમદૃષ્ટિએ સંકેત મળે છે. અહીં ગીતા શબ્દપ્રયોગ તત્ત્વજ્ઞાન સૂચક નહિ પણ આદિનાથ ભગવાનનાં ગુણગાન-મહિમા ગાવાના અર્થમાં પ્રયોજાયો છે. પ્રથમ દુહામાં કવિએ આ વિચારને મૂર્તિમંતરૂપે વ્યક્ત કર્યો છે. ૨૪૮ આદિ પુરૂષશ્રી આદિજિન, અતિશયવંત અનંત જગનાયક જગ ગુરુ જયો મહિમાવંત મહંત || ૧ || આદિનાથ ભગવાનના જીવન પ્રસંગો, મરૂદેવાનાં સ્વપ્રો, સ્વપ્નફળ જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278