________________
09 ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મ છે
શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં જ્યારે આચાર્યપદ અપાય છે ત્યારે નવા આચાર્યને એમના ગુરુ સૂરિ મંત્રનો પટ આપે છે. આ પટમાં પાંચ પ્રસ્થાન હોય છે. પાંચ પ્રસ્થાનને પીઠ પણ કહે છે.
આચાર્યોએ દરરોજ પાંચ પ્રસ્થાનની ગુરુપરંપરા અનુસાર વાસક્ષેપ દ્વારા પૂજા અને મંત્રો દ્વારા આરાધના કરવાની હોય છે. મૂર્તિપૂજક પરંપરામાં બીજમંત્રનું ચલણ વધારે છે, જેમ કે “ઓમ હ્રીં શ્રીં ઐ ક્લિ’ આદિ. સ્થાનકવાસી પરંપરામાં નામમંત્રનું ચલણ વધારે છે. પેટરબારસ્થિર પૂજ્ય જયંતમુનિએ દેવાધિદેવ નામમંત્ર ફલાદેશ પુસ્તક પોતાને સૂક્ષ્મ સ્તરે થયેલી અનુભૂતિને આધારે લખ્યું છે. આ પુસ્તકમાં તીર્થંકર પ્રભુના નામમંત્રના જપને કારણે થતા લાભનું વર્ણન છે.
હાલના યુગમાં વલ્લભસૂરિ મહારાજસાહેબે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી. અમુક જૈનાચાર્યોની ચઢામણીથી ઘણા જૈન સંઘોએ વલ્લભસૂરિ મહારાજસાહેબના આ પગલાનો વિરોધ કર્યો હતો. આવા આચાર્યોનો દૃષ્ટિકોણ એકાંતિક હતો. મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને ભણેલા ૬૫ વર્ષથી ઉપરની ઉંમરના ઘણા ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પુછજો કે, જો મહાવીર જૈન વિદ્યાલય ન હોત તો તમે ભણી શક્યા હોત? તમને જવાબ મળશે કે, જો મહાવીર જૈન વિદ્યાલય ન હોત તો અમે ગામડામાં પડયા રહ્યા હોત ! આજથી લગભગ ૫૦ વર્ષ પહેલાં ગામડામાં રહેતા જૈન સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એ માટે વલ્લભસૂરિ મહારાજ સાહેબનું ઘણું મોટું પ્રદાન છે. | મુનિ શ્રી ચારિત્રવિજયજી મૂર્તિપૂજક પરંપરાના હતા. મુનિ શ્રી કલ્યાણચંદ્રજી
સ્થાનકવાસી સંપ્રદાયના હતા. બંને ખાસ મિત્રો બની ગયા. મુનિ શ્રી ચારિત્રવિજયજી કહેતા કે પ્રથમ જ્ઞાનોદ્ધાર કરો, શ્રાવકોદ્ધાર કરો પછી દેરાસરનો જીર્ણોદ્ધાર કરો. બંને મુનિઓએ સાથે મળીને સૌરાષ્ટ્રમાં સોનગઢ ગામમાં શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમની સ્થાપના કરી જે સોનગઢ બોર્ડિંગના નામે ઓળખાય છે. આ સંસ્થામાં બાળકોને મેટ્રિક સુધી નિઃશુલ્ક ભણવાની, રહેવાની અને જમવાની સગવડ છે. આજ દિન સુધી આ સંસ્થા કાર્યરત છે.
ચંદ્રશેખર મહારાજ સાહેબે પણ શિક્ષણને સમર્પિત ‘તપોવન’ નામના આશ્રમની સ્થાપના નવસારીમાં કરી. અહીં બાળકો ગુરફલની જેમ રહી જૈન ધર્મના સંસ્કાર, આહાર અને જૈન ધર્મના નિયમોના પાલન આદિ સાથે શાળાના અભ્યાસક્રમ મુજબ અભ્યાસ કરે છે.
- ૧૩૫ -
#DB009 – અને જૈન ધર્મ છીછરછી)
મુનિ શ્રી શુભવિજયજીએ એપ્રિલ, ૧૯૫૨માં સેન્ડફર્સ્ટ રોડ સ્ટેશનની નજીક કચ્છના શ્રેષ્ઠીઓની મદદથી સર્વોદય કેન્દ્રની સ્થાપના કરી કે જે પાંચ માળનું મકાન છે. આ કેન્દ્રમાં ખાસ કરીને કચ્છનાં ગામડાંઓમાંથી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ આવતા છાત્રો માટે રહેવાની અને જમવાની સગવડ ખૂબ જ ઓછા દરમાં હતી. એ જમાનામાં એમણે કચ્છ-માંડવીમાં એક આશ્રમની સ્થાપના કરી. આશ્રમમાં નિરાધાર એવા જૈન વૃદ્ધો નિઃશુલ્ક રહી શકે અને જમી શકે એવી વ્યવસ્થા શરૂ કરી કે જેથી એવા વૃદ્ધો પોતાનો અંતિમ સમય સારી રીતે પસાર કરી શકે. એમની પ્રેરણાથી કચ્છ ભદ્રેશ્વર તીર્થમાં ભોજનશાળાની શરૂઆત થઈ.
- તિથલસ્થિત બંધુ ત્રિપુટી મહારાજસાહેબે પણ વાહનનો ઉપયોગ કર્યો. વિદેશ ગયા. વિદેશમાં વસતા જૈન શ્રાવકોને માર્ગદર્શન આપ્યું અને વિદેશમાં જિન મંદિરોની પ્રતિષ્ઠા કરી વિદેશસ્થિત જૈનોને એક અવલંબન પૂરું પાડ્યું કે જેથી વિદેશમાં જૈનો પોતાના ધર્મમાં સ્થિર રહી શકે.
ભદ્રબાહુસ્વામી, ઉમાસ્વાતિજી, સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, આનંદઘનજી. શ્રીપાળ રાજાના રાસના રચયિતા વિનયવિજયજી અને ઉપાધ્યાય યશોવિજયજી, ચિદાનંદજી, બુદ્ધિસાગરસૂરિ આદિ આચાર્યોએ પણ જૈન ચતુર્વિધ સંઘ માટે અનેક ગ્રંથો, સ્તવનો આદિ રચીને ઘણું મોટું પ્રદાન કર્યું છે. વિનોબાજીએ લખ્યું છે કે, વૃક્ષ પર જેટલાં પાદડાં હોય છે એટલા ગ્રંથો જૈનાચાર્યોએ રચ્યા છે. જૈનાચાર્યોના આટલા વિશાળ પ્રદાનને કારણે વિષમ પરિસ્થિતિમાં પણ જૈન સમાજ શુભભાવમાં અને નિશ્ચિંત રહી શક્યો છે.
આજના યુગમાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓએ ક્રાંતિકારી પગલાં લઈ જૈન ધર્મને એક નવો આયામ આપ્યો છે. શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને સેવાના ક્ષેત્રની સ્પર્શના કરી છે. સામાન્ય રીતે આ ક્ષેત્રોથી જૈન સાધુઓ વિમુખ હોય છે.
આ સાધુઓમાં કેટલીક બાબતો સામાન્ય હતી. ૧) એમની પાસે અનેકાંત દૃષ્ટિકોણ હતો ૨) દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની ઝાંખી પ્રાપ્ત કરી હતી ૩) એમનો અનુયાયી વર્ગ હતો ૪) એમણે આશ્રમ સ્થાનની સ્થાપના કરી હતી ૫) એમણે સંપ્રદાયનો ત્યાગ કર્યો હતો
આવા પાંચ સાધુઓના નામ આ પ્રમાણે છે -
૧૩૬