________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યોની પ્રદેશસંખ્યા]
[૬૯ (અનન્તા:) અનંતા અને મૂર્ખ) પુદગલમાં (ત્રિવિધા:) ત્રણ પ્રકારમાં એટલે સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા (પ્રવેશ:) પ્રદેશો છે, અને (વનસ્પ) કાળદ્રવ્યનો (5:) એક પ્રદેશ છે (તેન) તેથી (ન : વાય:) તે કાળદ્રવ્ય કાયવાન નથી.
ભાવાર્થ- એક જીવ સમસ્ત લોકાકાશમાં પ્રસરી શકે છે, લોકાકાશના અસંખ્યાતા પ્રદેશ છે તેથી જીવ અસંખ્યપ્રદેશવાળો છે. ધર્મ અને અધર્મ પણ સમસ્ત લોકાકાશમાં તલમાં તેલની માફક ફેલાયેલ છે, તેથી તે બંને દ્રવ્યો પણ અસંખ્યાત પ્રદેશવાળાં છે. આકાશના અનંત પ્રદેશ છે, કારણ કે આકાશ લોકાકાશની બહાર પણ છે, તેની કોઈ મર્યાદા નથી. પુદ્ગલ દ્રવ્યના અનંતા પરમાણુંઓ છે, પરંતુ એક પરમાણુ અલગ પણ હોય તે છે અને બે, ચાર, વીશ, હજાર, લાખ વગેરે પરમાણુઓ મળીને નાનો અથવા મોટો સ્કંધ થાય છે. આ કારણથી પુદ્ગલને સંખ્યાત, અસંખ્યાત, તથા અનંત પ્રદેશવાળો કહેવામાં આવેલ છે. કાલના અણુ એક એક અલગ રહે છે, તે મળીને સ્કંધ થતો નથી. આ કારણથી કાલદ્રવ્ય કાયવાન નથી. ર૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com