________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬]
[દ્રવ્યસંગ્રહ તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.
માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. ૪. વળી વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ‘ભાવોને વા કારણકાર્યાદિને કોઈના કોઈમાં ભેળવી, નિરૂપણ કરે છે માટે એવા જ
શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. ૫. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને
કોઈમાં ભેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું. (મોક્ષમાર્ગ પ્રકાશક, અ. ૭ પૃ. ૨૫૫
૨૫૬.). ૬. વ્યવહારનય - જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો
૧. જુઓ, સમયસાર ગા. પ૬ પૃ. ૧૧૧, “જીવના ઔપાધિક ભાવોને અવલંબીને
પ્રવર્તતો થકો (તે વ્યવહારનય) બીજાના ભાવને બીજાનો કહે છે” ૨. જુઓ, સમયસાર ગા. પ૬ પૃ. ૧૧૧ “નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ
એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબી પ્રવર્તતો થકો, બીજાના ભાવને જરાપણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com