Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 197
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ-સંગ્રહ] [૧૮૯ કષાય:- જેનાથી (વર્ષ = સંસારરૂપ, દુઃખ, ગાય = લાભ) સંસારની વૃદ્ધિ થાય. આત્માના કલુષિત પરિણામ જેવાં કે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ અથવા મોહ, રાગ, દ્વેષ વગેરે. કાય:- ઘણા પ્રદેશોનો સમૂહ. કાળદ્રવ્યઃ- પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિ દ્રવ્યોને પરિણમનમાં નિમિત્તરૂપ છે તેને કાળદ્રવ્ય કહે છે. જેમકે કુંભારના ચાકને ફરવા લોઢાનો ખીલો. કેવળદર્શન- કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય અવલોકનને કેવળદર્શન કહે છે. કેવળજ્ઞાન- ત્રણ લોક અને ત્રણ કાળવર્તી સમસ્ત પદાર્થોને એકી સાથે એક સમયમાત્રમાં સ્પષ્ટ જાણે એવું સંપૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન. કેવલિનાથ - કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટયના ધારક કેવળી ભગવાન. ગુણસ્થાન:- મોહ-યોગના સદ્દભાવ વા અસદુભાવથી આત્માના સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્ર અને યોગ આદિની થવાવાળી અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. ગુણિ- મોહ-રાગ-દ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિટૂપમાં સમ્યકપણે અવસ્થિત રહેતાં, મન, વચન, કાયા તરફની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223