Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 195
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ-સંગ્રહ] [૧૮૭ અને વીર્યાચાર- એ પાંચ આચાર, ૬ આવશ્યક (-સામાયિક, ચોવીસ તીર્થંકર અથવા પંચપરમેષ્ટીની સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાર્યોત્સર્ગ), ૩ ગુતિ (મન, વચન, કાયગતિ )-એ પ્રમાણે ૩૬ ગુણ પોતે પાળે છે અને બીજા ભવ્ય જીવોને પળાવે છે એવા આચાર્ય જેઓ મુનિઓના સંઘના અધિપતિ હોય છે. આતપ- સૂર્ય અને સૂર્યકાન્તમણિમાં રહેવાવાળો ખાસ ગુણ. આયુકર્મ:- જેના નિમિત્તે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલ શરીરનો સંબંધ (જીવન) છૂટી શકતો નથી તે કર્મને આયુકર્મ કહેવામાં આવે છે. (આયુ ચાર પ્રકારના છે-દેવ, મનુષ્ય, તિર્યંચ (-પશુ) અને નારક.) આસવ- આત્માની મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગરૂપ મલિન અવસ્થા તે ભાવાસ્રવ અને જ્ઞાનાવરણાદિ આઠ કર્મોરૂપ થવાને યોગ્ય કાર્મણવર્ગણાનું આવવું તે દ્રવ્યાસ્રવ છે. ઇન્દ્રિય:- આત્માના અસ્તિત્વને બતાવનાર અને પરોક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત. ઉત્પાદ- દ્રવ્યમાં નવી પર્યાયનું પ્રગટ થવું તે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223