SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ-સંગ્રહ] [૧૮૭ અને વીર્યાચાર- એ પાંચ આચાર, ૬ આવશ્યક (-સામાયિક, ચોવીસ તીર્થંકર અથવા પંચપરમેષ્ટીની સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાર્યોત્સર્ગ), ૩ ગુતિ (મન, વચન, કાયગતિ )-એ પ્રમાણે ૩૬ ગુણ પોતે પાળે છે અને બીજા ભવ્ય જીવોને પળાવે છે એવા આચાર્ય જેઓ મુનિઓના સંઘના અધિપતિ હોય છે. આતપ- સૂર્ય અને સૂર્યકાન્તમણિમાં રહેવાવાળો ખાસ ગુણ. આયુકર્મ:- જેના નિમિત્તે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલ શરીરનો સંબંધ (જીવન) છૂટી શકતો નથી તે કર્મને આયુકર્મ કહેવામાં આવે છે. (આયુ ચાર પ્રકારના છે-દેવ, મનુષ્ય, તિર્યંચ (-પશુ) અને નારક.) આસવ- આત્માની મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગરૂપ મલિન અવસ્થા તે ભાવાસ્રવ અને જ્ઞાનાવરણાદિ આઠ કર્મોરૂપ થવાને યોગ્ય કાર્મણવર્ગણાનું આવવું તે દ્રવ્યાસ્રવ છે. ઇન્દ્રિય:- આત્માના અસ્તિત્વને બતાવનાર અને પરોક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત. ઉત્પાદ- દ્રવ્યમાં નવી પર્યાયનું પ્રગટ થવું તે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy