________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪]
[દ્રવ્યસંગ્રહ વ્યવહારસંબંધ જીવને સર્વે પરપદાર્થો સાથે છે અને તેથી જ આત્મા સર્વે પદાર્થોનો જ્ઞાતા છે.
૨. મોહ-રાગ-દ્વેષ:- પરપદાર્થને ઇષ્ટ-અનિષ્ટ માનવા તે મિથ્યાત્વભાવરૂપ મોહ છે, અને તેના પ્રત્યે કષાયભાવ થવો તે રાગવૈષ છે. મિથ્યાત્વરૂપ મોહના કારણે આત્મસાવધાનતાનો સર્વથા અભાવ થાય છે. માયા અને લોભ એ બે કષાય તથા હાસ્ય, રતિ અને ત્રણ પ્રકારના વેદ-એ બધાનું નામ રાગ છે, કારણ કે ત્યાં ઇષ્ટબુદ્ધિ થઇ અનુરાગ પ્રવર્તે છે. તથા-ક્રોધ-માન એ બે કષાય અને અરતિ, શોક, ભય, જુગુપ્સા-એ બધાનું નામ વૈષ છે. કારણ કે ત્યાં અનિષ્ટ બુદ્ધિ થઈ દ્વેષ પ્રવર્તે છે. સામાન્યપણે એ રાગ-દ્વેષ અને મોહએ બધાનું નામ મોહ છે. કારણ કે એ બધા પ્રસંગે સર્વત્ર આત્માની *અસાવધાનતા જ હોય છે.
૩. “વિચિત્ત ઝાણપ્પ સિદ્ધિએ ':- ગાથામાં આ પદ તેના બે અર્થ થાય છે. (૧) એક અર્થ “વિચિત્ત થાય છે, જેને અનુસાર પિંડસ્થ-પદસ્થાદિ નાના પ્રકારના ધ્યાન એવો અર્થ નીકળે છે.
૧. આ સંબંધનું વર્ણન મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૨, પૃ. ૪૨ થી ૪૪. અ. ૩, પૃ. ૫૪ થી
૬૧ તથા અ. ૪, પૃ. ૮૦ થી ૮૮ તથા ૯૨ થી ૯૮ સુધી છે. તે મુમુક્ષુઓએ અભ્યાસ કરવા યોગ્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com