________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યાસવના ભેદ ]
[૮૫ કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધ જે આવે છે તેને દ્રવ્યાસ કહે છે. ૩૧.
૨. દર્શનાવરણ - જ્યારે આત્મા પોતે પોતાના દર્શનભાવનો ઘાત કરે ત્યારે આત્માના દર્શનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને દર્શનાવરણ કહે છે.
૩. વેદનીય - આત્માને સગવડતા કે અગવડતાના સંયોગો પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને વેદનીય કહે છે.
૪. મોહનીય - જીવ પોતાના સ્વરૂપને ભૂલીને સ્વ-પરને એકરૂપ માને અથવા સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને મોહનીય કહે
છે.
૫. આયુ - જ્યારે જીવ પોતાની યોગ્યતાથી નરક, તિર્યચ, મનુષ્ય કે દેવના શરીરમાં રોકાઈ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને આયુકર્મ કહે છે.
૬. નામ - જીવ જે શરીરમાં હોય તે શરીરાદિ રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને નામકર્મ કહે છે.
૭. ગોત્ર - જીવને ઊંચ કે નીચ આચરણવાળા કુળમાં પેદા થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને ગોત્રકર્મ કહે છે.
૮. અંતરાય - જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિધ્રમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને અંતરાયકર્મ કહે છે.
એકસો
આ પ્રમાણે આઠ કર્મોના પ+૯+૨+૨૮+૪+૩+૨+૫=૧૪૮ અડતાલીસ ભેદ છે. વાસ્તવમાં કર્મોના અનંત ભેદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com