________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[દ્રવ્યસંગ્રહ
બંધના ચાર પ્રકાર અને તેના કા૨ણો पयडिट्ठिदिअणुभागप्पदेसभेदा दु चदुविधो बंधो। जोगा पयडिपदेसा ठिदिअणुभागा कसायदो होति ।। ३३ ।। प्रकृतिस्थित्यनुभागप्रदेशमेदात् तु चतुर्विधः बन्धः। योगात् प्रकृतिप्रदेशौ स्थित्यनुभागो कषायतः भवतः ।। ३३ ।। અન્વયાર્થ:- (વન્ય:) બંધ (પ્રકૃતિસ્થિત્યનુમા પ્રવેશમેવાણ્) પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશના ભેદથી ( ચતુર્વિધ: ) ચાર પ્રકારનો છે. તેમાં (પ્રકૃતિપ્રવેશૌ) પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ ( યોત્ ) યોગથી અને ( સ્થિત્યનુમાનો) સ્થિતિબંધ અનુભાગબંધ (હ્રષાયત: ) કષાયથી ( ભવતઃ) થાય છે.
અને
બંધના ચાર ભેદ છે:- ૧. -પ્રકૃતિ, ૨-સ્થિતિ, ૩-અનુભાગ અને ૪-પ્રદેશ. પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી તથા સ્થિતિ અને અનુભાગબંધ ક્રોધ વગેરે કષાયથી થાય છે.
૧. પ્રકૃતિઃ- કર્મનો જે સ્વભાવ છે તેને પ્રકૃતિ કહે છે. જેવી રીતે જ્ઞાનાવરણકર્મની પ્રકૃતિ પદાર્થોને ન જાણવામાં નિમિત્ત થાય અને દર્શનાવરણકર્મની પ્રકૃતિ પદાર્થોને ન દેખવામાં નિમિત્ત થાય વગેરે જેમ લીમડો કડવો અને ગોળ મીઠો છે એવી રીતે બધાં કર્મોની પ્રકૃતિ જાણવી જોઈએ.
૨. સ્થિતિઃ- સ્વભાવથી ચોક્કસ વખત સુધી નહિ છૂટવું જેવી રીતે બકરી વગેરેના દૂધમાં મીઠાશ છે. મીઠાશનું ન છૂટવું તે સ્થિતિ છે. તેવી રીતે જ્ઞાનાવરણ વગેરે કર્મોનો પદાર્થોને ન જાણવા દેવું વગેરે
સ્વભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com