________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્રવ વગેરે પદાર્થોનું વર્ણન ]
[૭૫ ૨. જીવ- અજીવની વ્યાખ્યા -
(૧) જીવ અર્થાત્ આત્મા- તે સદા જ્ઞાતાસ્વરૂપ, પરથી ભિન્ન અને ત્રિકાળ સ્થાયી ( ટકનારો) છે. આવા જીવો અનંત છે.
(૨) અજીવ- જેમાં ચેતના-જાણપણું નથી; તેવા દ્રવ્યો પાંચ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળાણું અસંખ્ય-એ ચાર અરૂપી છે; અને પુદ્ગલ રૂપી સ્પર્શ, રસ, ગંધ અને વર્ણસહિત છે. તેની સંખ્યા અનંતાનંત છે.
૩. જીવતત્વ સંબંધી ભૂલ- જીવ તો ત્રિકાળ જ્ઞાતાસ્વરૂપ છે. તેને જીવ અજ્ઞાનવશ જાણતો નથી અને જે શરીર છે તે હું જ છું, શરીરનું કાર્ય હું કરી શકું છું-એવું માને છે. શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય; બાહ્ય અનુકૂળ સંયોગોથી હું સુખી અને બાહ્ય પ્રતિકૂળ સંયોગોથી હું દુઃખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન, હું નિર્બળ, હું મનુષ્ય, હું કુરૂપ, સુંદર, હું એવું માને છે. શરીરાશ્રિત ઉપદેશ અને ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે. હું બોલી શકું છું રોટલાદિ ખાઈ શકું, જળાદિ પી શકું, પરજીવોનું ભલું-બૂરું કરી શકું, વગેરે પ્રકારે પરદ્રવ્યની ક્રિયાનો પોતાને માલિક માને છે.
આવી રીતે અજ્ઞાની જીવ પરને સ્વસ્વરૂપ માની, પોતાના સ્વતત્ત્વનો (જીવતત્ત્વનો) ઈન્કાર કરે છે. પોતાને પોતારૂપ જાણી તેમાં પરનો અંશ પણ ન મેળવવો તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો-એવું સાચું શ્રદ્ધાન કરતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com