Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 22
________________ આથી સમજી શકાશે કે શાસ્ત્રમાં માંસભક્ષણનું વિધાન હોવાથી માંસભક્ષણનો નિષેધ કરનારાં માં સમક્ષયિતા...ઈત્યાદિ વાક્યો શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને છે અને માંસભક્ષણમાં દોષનો નિષેધ કરનારાં વાક્યો અને માંસમક્ષ કોષો...ઈત્યાદિ વાક્યો) શાસ્ત્રવિહિત માંસભક્ષણને આશ્રયીને છે. તેથી કોઈ વિરોધ નથી.-આ પ્રમાણે પૂર્વપક્ષીની માન્યતા છે. I૭-૧૩ - @•®•0 એ પૂર્વપક્ષના કથનનું નિરાકરણ કરાય છે - नैतन्निवृत्त्ययोगेन तस्याः प्राप्तिनियन्त्रणात् । प्राप्ते तस्या निषेधेन यत एतदुदाहृतम् ॥७-१४॥ વિશેષતાત્પર્યની વિવક્ષાથી શાસ્ત્રબાહ્ય અને શાસ્ત્રીય માંસભક્ષણને આશ્રયીને નિષેધ અને વિધિનું ઉપર જણાવેલું સમાધાન યોગ્ય નથી. કારણ કે માંસભક્ષણની નિવૃત્તિનો સંભવ નથી. નિવૃત્તિ; પ્રાપ્તિથી નિયંત્રિત હોય. માંસભક્ષણ પ્રાપ્ત થયે છતે અર્થાત્ પ્રાપ્ત માંસભક્ષણમાં નિવૃત્તિનો નિષેધ કરવાથી તેનો(નિવૃત્તિનો) સંભવ નથી. કારણ કે તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે (હવે પછીના શ્લોકથી કહેવાશે તેમ) જણાવ્યું છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોક્નો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપર જણાવ્યા મુજબ વિશેષતાત્પર્યની વિરક્ષા કરી વિધિ અને નિષેધને આશ્રયીને જે સમાધાન કરાયું છે, તે યોગ્ય નથી. કારણ કે માંસમક્ષoto' આ શ્લોકમાં જે મહાફળવાળી નિવૃત્તિ જણાવી છે તેનો સંભવ જ નથી. જેની પ્રાપ્તિ છે તેનો જ નિષેધ કરાય છે. જે પ્રાપ્ત નથી તેનો નિષેધ કરાતો નથી. શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ પ્રાપ્ત જ ન હોવાથી એની નિવૃત્તિ થવાનો 25 xxx sssssssssssssss

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56