Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 47
________________ નૈગમનયની અપેક્ષાએ જીવો અને અજીવોની હિંસા મનાય છે. આ વ્યક્તિએ જીવની હિંસા કરી અને આ જીવે ઘટની હિંસા કરી.' ઈત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ છે. સ્વરૂપનો નાશ કરવાદિના કારણે અજીવની હિંસા મનાય છે. હિંસા શબ્દનો પ્રયોગ જીવાજીવ-ઉભયમાં અનુગત હોવાથી નૈગમનય બંન્નેની હિંસા માને છે. તેમ જ તેના પ્રતિપક્ષરૂપે અહિંસા પણ બંન્નેની માને છે. વસ્તુના પરિચાયક બધા જ પ્રકારોને ધ્યાનમાં લેવાનું કાર્ય નૈગમન કરે છે. વસ્તુને વાસ્તવિક રીતે જણાવવા માટેના સર્વ પ્રકારો નૈગમનયને માન્ય છે. સર્વનયોમાં આ નય ખૂબ જ સ્થૂલ છે. સંગ્રહનયની અપેક્ષાએ અને વ્યવહારનયની અપેક્ષાએ પૃથ્વીકાયાદિ છ જવનિકાયની જ હિંસા મનાય છે. અજીવની હિંસા આ નયોથી મનાતી નથી. અહીં સંપ્રદ પદ દેશસંગ્રહને જણાવે છે. કારણ કે સામાન્યગ્રાહી સંગ્રહનો સમાવેશ નૈગમનમાં થઈ જાય છે. આશય એ છે કે નૈગમનયને અભિમત પદાર્થને- સામાન્ય(જાતિ)ની અપેક્ષાએ અનેકને- પણ એકસ્વરૂપ સંગ્રહનય માને છે. સમગ્ર વિશ્વને સત્ત્વની અપેક્ષાએ સંગ્રહ નય એક માને છે. આ સંગ્રહ નયને ‘સામાન્યગ્રાહી' સંગ્રહનય કહેવાય છે. સકલ વિશ્વમાંના તે તે ઘટ-પટ વગેરેને ઘટત્વ-પટવાદિની અપેક્ષાએ; પરસ્પર ભિન્ન એવા ઘટપટાદિને એક એક માનવાનું કાર્ય દેશસંગ્રહ(દેશગ્રાહી સંગ્રહ)નયનું છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે સામાન્યપ્રાણી સંગ્રહનયની અપેક્ષાએ જીવ અને અજીવનો ભેદ ન હોવાથી તેની અપેક્ષાએ જીવની જ હિંસા વર્ણવવાનું શક્ય નથી. તેથી અહીં દેશગ્રાહી સંગ્રહાયનું ગ્રહણ કર્યું છે. સામાન્યપ્રાણી સંગ્રહને તો નૈગમનયમાં સમાવ્યો છે. વ્યવહારનય તો સ્થલ દષ્ટિએ વિશેષ પદાર્થનું જ્ઞાન કરાવવાના સ્વભાવવાળો અને લોક TESTS TTTTTTTTER

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56