Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 126
________________ ધર્મપરીક્ષા इति पदार्थः परिकल्पित इति । प्रकृते तु यत्प्रसिद्धं व्यावहारिकलक्षणं, तद् एका परिभाषा, तस्मादन्या परिभाषा किं भवता स्वीक्रियते, यदयोगादभव्यानामव्यावहारिकत्वं स्थाप्यते ? કૃતિ । અયં ભાવ: सम्यक्त्वं नाम तत्त्वार्थश्रद्धानं इति एका शास्त्रीया परिभाषा, तदनुसारेण चतुर्थगुणस्थानादारभ्य सम्यक्त्वनो भवन्ति । किन्तु चारित्रं एव सम्यक्त्वं इति परिभाषान्तरानुसारेण तु चतुर्थगुणस्थायिनो मिथ्यात्विनो भवन्ति । एवं प्रसिद्धाया व्यावहारिकपरिभाषाया अनुसारेण अभव्या व्यावहारिका भवन्ति । किन्तु पूर्वपक्षपरिकल्पितया द्वितीयपरिभाषया अभव्या अव्यवहारिणो भवन्त्यपि । ततश्चात्र महोपाध्यायाः पूर्वपक्षं पृच्छन्ति किं काचिद् अन्या परिभाषा भवता तादृशी परिकल्पिता, या अभव्येषु अघटमाना तान् अव्यवहारिणो व्यवस्थापयन्ति ? રૂતિ । - ચન્દ્ર : મહોપાધ્યાજી ઃ પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાયને અનુસરીને તમે અભવ્યોનું જે અવ્યવહા૨ીત્વ સિદ્ધ કરો છો, તે અવ્યવહારીત્વ અભવ્યોમાં વ્યાવહારિકજીવોનું લક્ષણ ન ઘટવાના લીધે સિદ્ધ કરો છો ? કે પછી તમે કોઈ બીજી પરિભાષાનો આશ્રય કરેલો હોવાથી સિદ્ધ કરો છો ? (આશય એ છે કે તમે કોઈપણ હિસાબે અભવ્યોને અવ્યવહા૨ી સાબિત કરવા પ્રયત્ન કરો છો ? પણ એ શા માટે ? વ્યવહારીજીવનું લક્ષણ અભવ્યોમાં ઘટતું નથી, તે માટે ? કે પછી વ્યવહા૨ીની જે પરિભાષા પ્રસિદ્ધ છે, એ સિવાયની તમે કોઈ નવી જ પરિભાષા સ્વીકારી હોય અને એ પરિભાષાને અનુસારે એ અભવ્યોને અવ્યવહા૨ી કહો છો ? વ્યાકરણ પ્રમાણે શબ્દનો અર્થ કરવો એને બદલે પોતાની વિવક્ષા પ્રમાણે શબ્દનો અર્થ નક્કી કરવો એ એક પરિભાષા કહેવાય. દા.ત. સાગારિક એટલે “ઘરવાળો ગૃહસ્થ” એ સંસ્કૃતવ્યાકરણ પ્રમાણેનો અર્થ છે. છેદગ્રન્થકારો પોતાની વિવક્ષા પ્રમાણે એનો “મૈથુન” એવો અર્થ કરે છે. આ એક પરિભાષા કહેવાય. એમ સમ્યક્ત્વ એટલે સાચાપણું એ વ્યુત્પત્તિ-અર્થ ગણાય. અને જૈનશાસ્ત્રકારો સમ્યક્ત્વ એટલે ભગવાનના વચન ઉપર અવિહડ શ્રદ્ધા...એ વિગેરે અર્થો કરે છે એ એક પરિભાષા છે. આ પરિભાષા પ્રમાણે ૪થા ગુણસ્થાનકથી માંડીને બધા સમ્યક્ત્વી કહેવાય છે. પણ હવે કોઈ એવી નવી પરિભાષા બનાવે કે ચારિત્ર એ જ સમ્યક્ત્વ. તો એ પરિભાષા મુજબ તો ચોથાગુણસ્થાનવાળાઓ પણ મિથ્યાત્વી જ કહેવાય. નિશ્ચયનય આવી જ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૧૧

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178