Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 165
________________ ૧૪૬ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યા સાવધાનપણે જાપપૂર્વક તેણે આહુતિ આપી પુનઃ શબ ખગ્ન લઈને ઊંચું થયું, પરંતુ કુમાર દ્વારા કરાતા નવકારમંત્રના પ્રભાવથી તે પાછું પડી ગયું. તેથી યોગીએ ત્રીજીવાર જાહપૂર્વક આહુતિ આપી એટલે શબમાં રહેલ વ્યંતર યોગીનો શિરચ્છેદ કરી હસતો હસતો ચાલ્યો ગયો. યોગીનું મસ્તક બાજુના અગ્નિકુંડમાં પડ્યું એટલે તે તરત જ સુવર્ણમય થઈ ગયું. તે જોઈને કુમારે યોગીનું શરીર પણ તે કુંડમાં નાખી દીધું. તે પણ પ્રજવલિત થઈને સુવર્ણપુરુષરૂપ બની ગયું. કુમાર તે સુવર્ણપુરુષને સ્કંધ ઉપર બેસાડીને પોતાને ઘેર લઈ આવ્યો. પછી સુવર્ણપુરુષને યોગ્ય સ્થાને મૂકીને કુમાર પોતાના પિતા પાસે ગયો અને સર્વવૃત્તાંતનું નિવેદન કર્યું. કુમારનો ભાગ્યોદય જોઈને રાજા બહુ જ હર્ષિત થયો. એક દિવસ તે નગરના ઉદ્યાનમાં સાતસો સાધુથી પરિવરેલા શ્રીગુણાકરસૂરિ નામના આચાર્ય ભગવંત પધાર્યા. તે હકીકત સાંભળીને પધોતર રાજા પુત્ર સહિત ચતુરંગિણી સેના લઈને તેમની સામે ગયા અને ગુરુ મહારાજને વંદના કરી. ગુરુમહારાજે ધર્મલાભ આપીને ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. તેમાં કહ્યું કે-“હે રાજન્ ! તમારા જેવા સુજ્ઞો આ સંસારમાં પરિભ્રમણ કરે તો પછી બીજાને માટે શું કહેવું ? સંપત્તિ જળના તરંગ જેવી ચપળ છે, યૌવન ચાર દિવસનું છે અને આયુષ્ય શરદઋતુના વાદળાં જેવું ચંચળ છે તો તે ધન મેળવવાથી શું કે જેનાવડે પરહિત ન સધાય? અરિહંત વિષે ભક્તિવાળા, ગુરુભગવંતનું સ્મરણ કરનારા, ક્રોધાદિ શત્રુઓના દ્વેષી, ભક્તિવડે નમસ્કારમંત્રનો જાપ કરનારા, દાનાદિ ધર્મને આરાધનારા અને અંતસમયે કર્મરૂપી રજ નો પણ નાશ કરનારા મનુષ્યો સિદ્ધિના કારણભૂત કાર્યોમાં ઉદ્યમવાળા હોય છે, તેવા યશસ્વી મનુષ્યનું મૃત્યુ પણ પ્રશંસનીય છે. જીવોને પુણ્યવડે જ સર્વ શુભની પ્રાપ્તિ થાય છે, તે વિના થતી નથી. તેમજ અસાધ્ય કાર્ય પણ પુણ્ય વડે શીગ્રપણે સાધ્ય થાય છે, આ પ્રસંગ ઉપર ધીર નામના પુરુષનું દૃષ્ટાંત છે તે સાંભળો. ધીરપુરુષનું દષ્ટાંત | * પુંડરિકીણી નામની નગરીમાં પૂર્વે અત્યંત કાયર અને પરાક્રમ વિનાનો ધીર નામનો એક રજપૂત વસતો હતો. તે માત્ર નામથી જ ધીર હતો, તેનામાં પૈર્યતા બિસ્કુલ નહોતી, તેથી તે લજ્જિત થઈને ઘરની બહાર જ જતો નહીં. તેને વિરપુત્રી નામે પ્રિયા હતી, તે પણ પતિના ભીરૂપણાથી દુઃખિત થવાથી પોતાના સખીવૃંદમાં લજ્જા પામતી હતી અને ચિત્તમાં ખેદ કરતી હતી. કાયરપણાથી કોઈની નોકરી પણ નહી પામતા તે રજપૂતને તેની પ્રિયાએ મનમાં કપટ રાખીને મધુરવાણી વડે કહ્યું કે–“આ રાજયમાં નગરજનોએ તમારું શૌર્ય અદ્યાપિ જાણ્યું નહીં, તમારી પરીક્ષા કરી નહિ, તો હવે તમે અન્ય દેશમાં જાઓ અને કોઈની સેવા કરો. પરદેશમાં ત્યાંના રાજાઓ તમારી શરીરની પુષ્ટતાને જોઈને તમારા ચરિત્રને નહીં જાણતા હોવાથી તમારા પર મોહ પામશે અને તમારી ઉપર કૃપા કરીને સારી નોકરી આપશે.” પોતાની સ્ત્રીનું આ પ્રમાણેનું કથન સ્વીકારીને સર્વ શસ્ત્રોથી સજજ થઈને સ્ત્રીએ આપેલું ભાતું બાંધી ધીર રજપૂત પરદેશ તરફ ચાલ્યો. પોતાની નગરી મૂકીને થોડે દૂર જતાં અન્યાય, લંપટ અને ચોરપણે પ્રસિદ્ધિ પામેલ સાત ચોરોએ તેને રોક્યો. તેને જોઈને તે ભીરું દશ

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228