________________
૨૦૪
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય આ કથા સાંભળીને હે ભવ્યજનો ! ધર્મકાર્યમાં કયારે પણ પ્રમાદ કરશો નહીં. તેથી સ્વર્ગ અને અપવર્ગના સુખની પ્રાપ્તિ તમને સુલભ થશે.
અહો ! ઉત્તમ મનુષ્યોને ધર્મ એ જ મહાધન છે, તેથી દક્ષ પુરુષો પૃથ્વી પર નિશ્ચળ એવા ધર્મનો જ સંચય કરે છે. માતા, પિતા, ભાઈ, પુત્ર, મિત્ર, કલત્ર તેમજ બીજા સ્વજનો પણ પ્રાણીના મૃત્યુ વખતે દૂર થઈ જાય છે, તે વખતે તેણે કરેલા શુભાશુભ કર્મનું જ શરણ છે, તે જ સાથે આવે છે, જે કાર્ય પરલોકવિરુદ્ધ હોય અને જે આ લોકમાં પણ લજ્જાકારી હોય તે નહીં કરવા યોગ્ય કાર્ય અંત્યાવસ્થાએ પણ ઉત્તમજનોએ કરવું નહીં.”
આ પ્રમાણે પુણ્યોપદેશને સાંભળીને કેટલાક લઘુકર્મી જીવો પ્રતિબોધ પામ્યા અને કામદેવને જીતીને તેઓએ ચારિત્ર અંગીકાર કર્યું, કેટલાકે શ્રાવકધર્મ સ્વીકાર્યો, કેટલાક ગૃહસ્થોએ સમ્યક્ત અંગીકાર કર્યું અને કેટલાકે બ્રહ્મચર્યનો સ્વીકાર કર્યો. પુષ્પચૂલ રાજા ગુરુમહારાજના વચનોથી વૈરાગ્ય પામીને સંસારની અનિત્યતાનો વિચાર કરતા કરતા ઘરે આવ્યા અને ઘણો આગ્રહ કરીને ચંદ્રોદય કુમારને રાજ્યપર સ્થાપિત કર્યો, તેમજ સમર્થ એવા સારા મંત્રીઓને રાજયની ચિંતા કરવાની ભલામણ કરી. પછી ગુરુમહારાજ પાસે જઈને કામાક્ષા રાણી સહિત ચારિત્ર અંગીકાર કર્યું અને સધ્યાન, તપ તથા જ્ઞાનમાં તત્પર થયા. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી પરૂપ અગ્નિવડે કર્મોને બાળીને કેવળજ્ઞાન પામી અન્ને મોક્ષે ગયા.
અહીં ચંદ્રસમાન ઉજવળ ચંદ્રોદયરાજા ઈન્દ્રની જેમ ન્યાયપૂર્વક પોતાના વિશાળ રાજયનું પાલન કરવા લાગ્યો. એકદિવસ તે ગવાક્ષમાં બેસીને પોતાના નગર તરફ જોતાં “કોણ સુખી છે? અને કોણ દુઃખી છે?” તેનો ચિત્તમાં વિચાર કરવા લાગ્યો. એ પ્રમાણે વિચારતાં અને નગરલોક તરફ દૃષ્ટિ કરતાં પૂર્વે મળેલો બ્રાહ્મણે દૃષ્ટિએ પડ્યો. ભૂત વળગેલ હોય તેવો, ગ્રથિલથયેલો તેમજ ચતુષ્પથમાં એક જગ્યાએ બેઠેલો તેને જોઈને કૌતુક ઉત્પન્ન થવાથી કેટલાક લોકો
ત્યાં ભેગા થયા. કેટલાકે પથ્થરવડે તેના પર પ્રહાર કર્યો. કેટલાક હસતા હતા. કેટલાક તેની નિંદા કરતા હતા અને એ પ્રમાણે તેને વિહ્વળ બનાવતા હતા. આ પ્રમાણે દુર્દશાવાળા તેને જોઈને રાજાએ વિચાર્યું કે–જરૂર વિદ્યાદેવીના પ્રકોપથી જ આ મારા મિત્રની આવી દશા થઈ જણાય છે. મેં પૂર્વે ગુરુ પાસેથી બળાત્કારે એને વિદ્યા અપાવી હતી, પરંતુ તે કુપાત્રમાં પડી અને એણે વિધિપૂર્વક બરાબર સાધી નહીં, ઉપરાંત તેણે વિદ્યાઓની નિંદા પણ કરી, તેથી તે એના ઉપર કોપાયમાન થઈ, તેથી જ આ બ્રાહ્મણ ગ્રથિલ થઈ ગયેલો જણાય છે. કરેલા કર્મને કોઈ લોપી શકતું નથી.”
તે બ્રાહ્મણને પોતાની પાસે બોલાવીને તેમજ બીજા મંત્રવાદીને બોલાવીને રાજાએ તેને સજ્જ કર્યો. ‘ઉત્તમ પુરુષો ઉપકારી જ હોય છે.' કહ્યું છે કે–જેમના વચન પ્રસાદના ઘરરૂપ છે, ચિત્ત દયાવાળું છે. વાણી અમૃત સમાન છે અને નિરંતર પરોપકાર કરવામાં તત્પરપણું છે, તેવા સજ્જનો કયારેય પણ નિંદ્ય નથી.”
પુણ્યના ઉદયથી ચંદ્રોદયરાજા બંધુમતી વગેરે અનેક રાણીઓની સાથે વિવિધ પ્રકારના