Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 179
________________ ૧૬૦ શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય યથાયોગ્ય વસ્ત્રાલંકારાદિની પહેરામણી કરી અને તેમને તેમજ બીજા આવેલા સ્વજનોને યથાયોગ્ય વિવેક જાળવીને વિસર્જન કર્યા અર્થાત્ રજા આપી. રાજાને પ્રથમ પદ્માવતી નામની એક પટ્ટરાણી હતી, તેવી જ આ બીજી સ્વપ્નના અનુસારે પ્રાપ્ત થયેલી કમલશ્રી પટ્ટરાણી થઈ. રતિ અને પ્રીતિ જેવી તે બે રાણીઓ સાથે રાજા રૂપવડે સાક્ષાત્ કંદર્પ જેવો શોભવા લાગ્યો. એક પદ્મિની અને બીજી હસ્તિની એવી બે શ્રેષ્ઠ સ્ત્રીઓ સાથે તે રાજા ચક્રવર્તિની જેમ સુખભોગ ભોગવવા લાગ્યો. પૂર્વ જન્મના પ્રેમથી કમલશ્રી . ઉપર તેનો રાગ વિશેષ થયો, તેથી તેના વિના તે એક ક્ષણ પણ રહી શકતો નહોતો. તે રાજા રાજ્ય કરતે છતે તેના આખા રાજ્યમાં દુર્ભિક્ષ, બીજા ઉપદ્રવો, દુઃખના કારણો, અન્યાય કે મહાપાપ થતાં નહોતાં. તેણે આખા રાજ્યમાંથી સાત વ્યસનોને આજ્ઞાદ્વારા દૂર કર્યા, તેમજ તેનું દ્રવ્ય નીતિવાળું હોવાથી તેને સાત ક્ષેત્રમાં તે સારી રીતે વાવવા લાગ્યો. એ પ્રમાણે ઘણા વર્ષો પર્યંત સુખભોગ ભોગવતાં તેની બન્ને રાણીઓ સગર્ભા થઈ. તે બન્નેને પુત્ર થયા, રાજાએ તેનો સારી રીતે જન્મ મહોત્સવ કર્યો અને યોગ્ય દિવસે તેના શ્રીષેણ અને હરિષેણ એવાં નામ પાડ્યાં. પ્રથમાવસ્થામાં તેનું લાલનપાલન કર્યું પછીની અવસ્થામાં તેને સારી રીતે ભણાવ્યા, પછી વૃદ્ધિ પામતા તે બન્ને કુમારો યૌવનાવસ્થા પામ્યા. કહ્યું છે કે—જે પુત્ર બાલ્યાવસ્થામાં શસ્ત્રકળા મેળવવાના પરિશ્રમમાં તત્પર હોય તેમજ શરીરનો પણ પોષક હોય અને તરુણાવસ્થામાં સંસારના સુખ ભોગવવા સાથે દ્રવ્યોપાર્જનમાં તત્પર હોય સાથે · · માતાપિતાનો પણ પાલક હોય. તેમજ વૃદ્ધાવસ્થામાં જે ધર્મિષ્ઠ હોવા ઉપરાંત મનોવિકાર રહિત સ્વચ્છ ઇન્દ્રિયવાળો હોય—એવો પુત્ર આ ભવ અને પરભવમાં અસંખ્ય સુખને માટે થાય છે.” રામ લક્ષ્મણની જેમ પરસ્પર ગાઢ પ્રીતિ ધરાવતા તે બન્ને બંધુઓ સાથે રહીને જ અનેક પ્રકારની ક્રીડાઓ કરવા લાગ્યા. ‘કાંતારમાં, વ્યસનમાં, વિવાહમાં, કલહમાં, સુખમાં, દુઃખમાં, સંગ્રામમાં, યાત્રામાં, વ્યવહારિક કાર્યમાં, કુલાચારમાં, વિવાહક્રમમાં તેમજ બીજા શુભ કે અશુભ અનેક કાર્યમાં જે નિરંતર સાથે જ રહે તે જ ખરેખરો બાંધવ છે અને તેવા જ બાંધવની સ્પૃહા કરવામાં આવે છે. જે તેવો ન હોય તે બાંધવ જ ક્યાં ? તેને કોણ ઇચ્છે છે ? બીજી બધી વસ્તુ પ્રયત્નથી કે ધનથી પ્રાપ્ત થાય છે, પણ પુણ્યવાન્, વિનયી અને ગુણી એવો ભાઈ કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થતો નથી. એક વખત તે નગરના ઉદ્યાનમાં અનેક ગુણગણસંયુક્ત અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર શ્રીસંભવસૂરિ નામના આચાર્ય ભગવંત પધાર્યા. ચારજ્ઞાનવાળા અને ચારપ્રકારના ધર્મને કહેનારા તે સૂરિભગવંત નિર્દોષવસતી જોઈને ૭૦૦ મુનિ સાથે ત્યાં રહ્યા. ઉઘાનપાલકના મુખેથી તેમના આગમનની વધામણી જાણીને રાજા ઉદ્યાનમાં આવ્યો અને ગુરુને વંદન કરી તેમની પાસે ધર્મ સાંભળવા બેઠો. ગુરુમહારાજે ધર્મદેશનાની શરૂઆત કરી. ‘‘ભો ભવ્યો ! વિરસ અને અનેક પ્રકારના દુઃખોથી વ્યાપ્ત એવા આ સંસારૂપી સમુદ્રમાં એક નિર્મળ એવો ધર્મ જ ચિંતામણિ રત્નની જેમ અંગીકાર કરવા યોગ્ય અથવા શ્રેષ્ઠ છે. આ જગતમાં વ્યસનો ઉપર દ્વેષ, સાધુજનો પર પ્રીતિ, ગુણોમાં આદર, સદ્વિદ્યામાં રિત, સુભાષિત

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228