Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 174
________________ ૧૫૫ છઠ્ઠો પલ્લવ બધી દાસીઓને એકાંતમાં લઈ જઈને વસ્ત્ર વિનાની કરો એટલે મત્સ્ય ને હસવાનું કારણ મારા કહ્યા વિના તમે સમજી જશો.” રાજાએ તે પ્રમાણે કરવાનું શરૂ કરતાં પહેલો એક શ્યામ વર્ણવાળો પુરુષ જણાયો, એટલે વિપ્રવધૂ બોલી કે–“આ પુરુષ સ્ત્રીના વેશમાં રહીને રાણીને ભોગવે છે, તેથી મીન હસ્યો અને તેણે જણાવ્યું કે–આવા હનવંશવાળા અને શ્યામવર્ણવાળા પુરુષને પણ તું ભોગવે છે પછી બીજા દાસીના વેશમાં રહેલ રૂપવંત પુરુષો સાથેની તો વાત જ શી કરવી ? તારું બધું ચારિત્ર હું જાણું છું, માટે તું “આ મસ્યો તો પુરુષવેદી છે તેથી તેની સામે હું નહીં જોઉં.' એવો ખોટો દંભ કરવો છોડી દે.” આ પ્રમાણે મીનના હસવાનો સાર છે.” એ રીતે પ્રત્યક્ષ બધી હકીકત જાણીને રાજા રાણી ઉપર બહુ જ કોપાયમાન થયો અને તે રાણીને તેમજ દાસીરૂપધારી બધા પુરુષોને અપરાધી ગણીને દેશપાર કર્યા.” * “સ્ત્રી દુખની અગાધ ખાણ છે, ક્લેશનું મૂળ છે, ભયને ઉપજાવનાર છે, પાપનું બીજ છે, શોકનું સ્થાન છે અને વાદળા વિનાની વિજળી સમાન છે. આ જીવલોકમાં શમ, શીલ અને સંયમયુક્ત, પોતાના વંશમાં તિલક સમા અને શ્રુત તેમજ સત્ય સહિત કોઈક જ સ્ત્રી હોય છે, તેથી મારી સ્ત્રી અહીં આવે અને આ રૂપવંત પુરુષને જુએ તે પહેલાં જ આનો ઉપાય કરું કે જેથી પાછળથી પસ્તાવું ન પડે.” આ પ્રમાણે વિચારીને તે વિદ્યાધરે તત્કાળ એક પ્રભાવશાળી ઔષધિ લાવીને તે સૂતેલા રાજાને હાથે બાંધી દીધી કે જેના પ્રભાવથી તરત જ તે રાજા સ્ત્રીરૂપે થયો. આ પ્રમાણે કરીને પછી તે ખેચર દેવકુલની અંદર દેવાર્શન કરવા ગયો. તેના ગયા પછી તેની વિદ્યાધરી સ્ત્રી ત્યાં આવી તેણે બહુ રૂપવંતી સ્ત્રીને ત્યાં સૂતેલી જોઈ. દેવાંગના સમાન તેનું રૂપ જોઈને વિસ્મય પામેલી તુચ્છમનવાળી વિદ્યાધરી મનમાં વિચારવા લાગી કે–“મારો સ્વામી જો આ રૂપવંત સ્ત્રીને જોશે તો જરૂર તેની ઉપર મોહ પામશે અને મને તજીને આને સ્ત્રીપણે સ્વીકારશે. કારણકે પુરુષો ભ્રમર સમાન હોય છે તેથી તે જુદા . જુદા પુષ્પની સુગંધ લીધા કરે છે. એમ શાસ્ત્રમાં કહેલું છે. પુરુષોની દૃષ્ટિ ચંચળ હોય છે, તેથી તે રમ્ય અને અરમ્ય બન્ને પ્રકારના પદાર્થ ઉપર જાય છે. તેમજ કામથી વિડંબના પામેલા તેઓ કૃત્યાકૃત્યને જાણતા નથી. કામાર્ત–પુરુષ પુત્રવધૂ, માતા, પુત્રી, ધાવમાતા, ગુરુપત્ની, તપસ્વીની કે તિચિણીને પણ ભોગવવા ઇચ્છે છે. મનુષ્યો અગ્નિમાં પ્રવેશ કરે છે, શસ્ત્રવડે પોતાના દેહનું વિદારણ કરે છે, અનેક પ્રકારનાં તપ અને કષ્ટ સહે છે, પરંતુ રાગાદિ શત્રુઓને જીતી શકતા નથી. તેને તો કોઈ વિરલા જ જીતે છે.” ચિત્રમાં ચીતરેલી સ્ત્રી પણ પુરુષના ચિત્તનું હરણ કરે છે તો સ્મિત, મેર અને વિભ્રમવડે ભ્રમિત નેત્રવાળી સ્ત્રીને દૃષ્ટિવડે જોવાથી તે ચિત્તનું હરણ કરે તેમાં શું નવાઈ ? કામિનીના વિલોકન, ભાષણ, વિલાસ, ક્રીડા અને આલિંગનાદિ મનના વિકાર માટે થાય છે, એટલું જ નહીં પણ તેનું સ્મરણ પણ મનના વિકાર માટે થાય છે.” આ પ્રમાણે વિચારીને તે વિદ્યાધરીએ એક મહૌષધિ લાવીને કાળા દોરાથી તેના ડાબા પગે બાંધી. જેથી તે તરત જ કુબ્ધ થઈ ગયો. આ પ્રમાણે કરીને તે વિદ્યાધર અને વિદ્યાધરીના ગયા પછી જાગૃત થયેલા રાજાએ પોતાનું શરીર કુર્જ થયેલું જોયું તથા હાથ અને પગે બાંધેલી

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228