Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૧૪
તે અણુવ્રત ઉપર ૧. અણુવ્રત ઉપર સૂર અને ચંદ્રની કથા. " હવે પાપ તિમિરને ભેદવામાં સૂર્ય સમાન ને સમ્યક્ત્વની શશિસમ શ્રાવકના બાર વ્રત આરાધવા લાયક છે. તેમાં નિર પરાધી ત્રસ જીવેની હિંસા કે અંગપીડાના રક્ષણરૂપ પ્રથમ અહિંસા નામે શ્રાવકેનું અણુવ્રત છે. સુકૃત-કમળમાં હંસીસમાન અતિનિર્મળ એ અહિંસા ભવ-મેક્ષરૂપ નીર–ક્ષીરને વિવેક બનાવવાને સેવનીય છે. પૃથ્વી અને સ્વર્ગના ભોગેની સુખ, સંપત્તિરૂપ સે પાનપંક્તિયુક્ત એ અહિંસા મેક્ષગમન પર્યત નિશ્રેિણિ (નિસરણી) રૂપ છે. અહે! સૂર અને ચંદ્રની જેમ હિંસા પ્રાણીને નિરંતર દુઃખ આપે છે. અને અહિંસા પરમ પુખ આપે છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે
રૂ૫, સંપત્તિ અને સુકૃતથી અમરાવતીને જીતનાર પુર નામે નગર છે. ત્યાં લક્ષ્મીના પાત્રરૂપ શત્રુંજય નામે રાજા હતે કે જેને યશસાગર શત્રુઓના દુર્યશરૂપશેવાલથી શોભતે હતે. તે રાજાને સજજનેને માનનીય તથા આ જગતને આનંદ પમાડનાર જાણે સૂર્ય અને ચંદ્ર હોય તેવા સૂર અને ચંદ્ર નામે બે પુત્ર હતા. શ્રેષ્ઠ ગુણેની બ્રાંતિથી જયેષ્ઠ પુત્ર પર અધિક સ્નેહને ધારણ કરતા રાજાએ તેને યુવરાજ પદ આપ્યું, અને ચંદ્રને તે કંઈ આજીવિકા પણ ન કરી આપી, તેથી તે રાત્રે પિતાના આવાસમાં સૂતે સૂતે ચિંતવવા લાગે-- રાજાએ પિતે સૂરને હર્ષથી યુવરાજ બનાવ્યું અને મને તે આજીવિકા જેટલું આપી પદાતિ પણ ન કર્યો. અહેપિતાને મેહ કેટલે છે? માટે રાજાએ તિરસ્કારેલા એવા મારે અહીં રહેવું યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org