Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
સામાયિક વ્રત ઉપર કેશરી ચેરની કથા.-૯ ૯. સામાયિક વ્રતવિષે કેશરી ચેરની કથા.
હવે ઉત્તમ ધ્યાનવાળા તથા પાપકાર્ય નહિ કરનારા એવા મનુષ્યના હદયમાં એક મુહર્ત પર્યત જે સમભાવ રહે છે તેને સામાયિક નામે પ્રથમ શિક્ષાવ્રત કહ્યું છે. સામા યિક વ્રત પાપિ મને દૂર કરનાર છે, તથા યતિધર્મની લમીને કીડા કરવાની ભૂમિકા સમાન શોભે છે. પ્રથમ શિક્ષાવ્રત તે મોક્ષલક્ષ્મીની મમતાના આરંભરૂપ, સમતાને કીડા કરવાની રંગભૂમિ સમાન અને કરુણાસાગરની ઊર્મિ સદશ ગણવામાં આવેલ છે. ક્રરકમ છતાં સામાયિક વ્રત લેનાર પુરુષ કેશરી ચોરની જેમ કર્મબંધનને તેડીને સત્વર સંસારરૂપી કેદખાનાથી મુક્ત થાય છે. તે ચેરનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
કામપુર નગરમાં શત્રુઓરૂપી સર્પોનો નાશ કરવામાં મયૂર સરખે અને લેકે તરફની નિંદારહિત વિજય નામે ધમી રાજા હતા. એકદા સિંહદત્ત નામના શ્રેષ્ઠીએ તેને નમીને કહ્યું કે “હે સ્વામિન ! કેશરી નામને મારો પુત્ર, ચોરી કરવામાં આસક્ત થયે છે.” એટલે—હવે જે એ મારા રાજ્યમાં રહેશે તો હું તેને મારી નાખીશ.' એમ કહીને રાજાએ કેશરીને પિતાના દેશમાંથી કાઢી મૂક્યું. રાજાના ભયથી દેશાંતર જતાં થાકી જવાથી રસ્તામાં ક્યાંક વનમાં તેણે સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળપૂર્ણ સરોવર જેવું. ત્યારે–“મારી શક્તિ હોય ત્યાં સુધી મેં ચેરીથી લાવ્યા વગરનું પાણી પણ પીધું નથી. અહો ! તે આજ કરવું પડે છે. દેવી પલટાને ધિક્કાર છે. એમ વિચારતાં થાકી ગયેલ તે કેશરી ચેરે ત્યાં પાણી પીધું અને સ્નાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org