Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 306
________________ સામાયિક વ્રત ઉપર લક્ષ્મીને મેળવનાર હું અત્યારે કુબેરને પણ જીતું છું.” તેના આવા વચનથી રાત્રે ત્યાં ચેરનું આગમન સમજીને તે સુજ્ઞ રાજા દિનકૃત્યને માટે પોતાના આવાસમાં આવ્યું. પછી રાત્રે સારે પરિવાર લઈને તે ચંડિકાભવને ગયા અને સુભટોને દૂર ઊભા રાખીને પિતાને એકલે મંદિરમાં રહ્યો. અર્ધરાત્રે રાજા થાંભલાના પડખે છુપાઈ રહ્યો તેવામાં આકાશથી ઉતરી આવેલ પાદુકાસિદ્ધ તે કેશરી ચેરને તેણે જોયે. એટલે ડાબા હાથમાં બે પાદુકા લઈ ગર્ભગૃડ (ગભારો) માં આવીને મનોહર મણિએ.થી તેણે ચંડિકાની પૂજા કરી, અને કહ્યું કે –“હે સ્વામિની ! વેચછાચારી બની પરી કરનાર મને આ રાત્રિ, અપરિમિત કૃદ્ધિ અને આનંદ આપનાર થાઓ.' એમ કહીને પાછા વળે, તેવામાં તરવાર લઈને દરવાજે ઊભેલ રાજા–“અરે ! જીવતે નહિ જવા દઉ” એમ કહીને ધએટલે સમયને જાણનાર તેણે એ પ્રમાણે બોલતા રાજાના લલાટ તરફ બન્ને પાદુકાને અસ્ત્ર બનાવીને કોધથી ફેકી. તેને ઘાત ચકાવવામાં રાજા વ્યગ્ર થયે તેવામાં તે મહાભુજ ચેર—આ જીવતો જાઉં છું” એમ બેલ નીકળી ગયે. ત્યારે –“અરે ! આ કેશરી ચેર જાય ” એમ રાજાની આજ્ઞા થતાં સુભટે તરત જ દૂર નાશી જતા તેની પાછળ દોડ્યા. બાદ પ્રગટ પ્રભાવવાળી તે બંને પાદુકાઓ મંત્રીને સેંપીને રાજા પણ તે ચોરના ચારીને માલ સંતાડવાના સ્થાને જવા માટે તે સુભટની પાછળ ગયે. હવે તે ચાર બહુ જ ઉતાવળથી સુભટને દૂર મૂકીને પિતાના પગલાં છુપાવવાને ગામ કે નગરમાં છેડા પરના રસ્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338