Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
અણુબત ઉપર જઈએ. તું મારા વિમાન પર બેસ.' એમ તેના કહેવાથી રાજા આનંદથી વિમાનમાં બેઠે અને તત્કાલ તેણે પિતાને દિવ્ય અલંકારથી અલંકૃત જે. પછી યશ અને ગુણેમાં દિવ્ય ગધથી ગવાતે તથા યક્ષના અર્ધાસને બેઠેલ રાજા તે જૈન મંદિરે પહેર્યો. ત્યાં દિવ્ય પુષ્પ, દિવ્ય ગંધદ્રવ્ય તેમજ દિવ્ય નાટકથી તેણે જિનયાત્રા સમાપ્ત કરી. ત્યાંથી પિતાના
સ્થાને આવતાં, યક્ષે બાંધેલ શત્રુને મુક્ત કરી રાજસિંહાસન પર બેસીને તેણે નગરીને પ્રમાદિત કરી. પછી–પૃથ્વીમાં ન મળી શકે તેવા ભેગેથી એને નિરંતર પ્રસન્ન રાખજે તથા એ ભાગ્યશાળીના વિઘને દૂર કરજો.” એ પ્રમાણે ચાર દેવ કિંકરને કહી, પ્રીતિકુશળ યક્ષ, હંસની રજા લઈ, દિશાઓમાં પિતાની કાંતિને ફેલાવતે સ્વર્ગે ગયે.
તો અહે! સત્યવચનને મહિમા તે જુએ કે હંસ રાજા, આ લોકમાં સુખ પામ્ય અને પરલેકમાં સ્વર્ગસંપત્તિ પામે. માટે હે ભવ્યાત્માઓ! મૃષાવાદરૂપ વિષને નાશ કરવામાં સુધાસ સમાન સત્ય વચન પર સદા રક્ત થાઓ.
| ઇતિ હંસ રાજાની કથા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org