Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 30
________________ અને જે ટ્રસ્ટનો વહીવટ કરવાનો હોય ત્યાં કોઇ પગલાં ન લે તો ટ્રસ્ટના સહ ટ્રસ્ટીઓના વિશ્વાસઘાતથી ઉત્પન્ન થતાં નુક્શાનો માટે તે જવાબદાર બને છે. દરેક ટ્રસ્ટીઓની સહિયારી અને અનેક જવાબદારીઓ રહે છે. ટ્રસ્ટની દિશાથી વિપરીત જવાનો કે ફેરફાર કરવાનો અધિકાર ટ્રસ્ટી પાસે નથી. (૮) ટ્રસ્ટની મિલ્કત સાચવવાની અને જાળવવાની તેમ જ હિસાબના ચોપડા બરાબર રાખવાની જવાબદારી ટ્રસ્ટીની છે. (૯) ટ્રસ્ટી પોતાના કર્તવ્ય અથવા સત્તા અજાણ્યાને સોંપી ન શકે કારણ કે ટ્રસ્ટીપણું વ્યક્તિગત વિશ્વાસને આધીન છે. સાર્વજનિક ટ્રસ્ટની નોંધણી (6) ૯ ܗ સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ અમલમાં આવ્યા બાદ જે પણ કોઇ સાર્વજનિક ટ્રસ્ટ સ્થપાય છે તેની મૂડીનું પ્રમાણ લક્ષમાં લીધાં વગર ટ્રસ્ટની સ્થાપનાના ત્રણ મહિનાની અંદર એની નોંધણી કરાવવી ફરજિયાત છે. ટ્રસ્ટની નોંધણી થાય કે આપોઆપ ચેરીટી કમિશ્નરની દેખરેખ અને અંકુશ એના પર આવે છે. ટ્રસ્ટની નોંધણી ન કરાવવી શિક્ષાપાત્ર છે. નોંધણીના ફાયદાઓ - નોંધણી કરાવવા સાથે જ ટ્રસ્ટની ચોક્કસ સ્થાવર મિલ્કતની જાણ તે મિલ્કત લેનાર વ્યક્તિને કરવી જોઇએ. નોંધાયેલ ટ્રસ્ટની સ્થાવર મિલ્કત અંગે નિમાયેલ વ્યક્તિ ઉપર દાવો માંડતી વખતે કોઇ મર્યાદાની જોગવાઇ નથી. સાર્વજનિક ટ્રસ્ટની મૂડીનું રોકાણ જ્યારે ટ્રસ્ટની મિલ્કત નાણા રૂપે હોય અને એ પૈસા તરત જ -

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106