Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 103
________________ દ વધારાનાં નાણાંનું રોકાણ રાજ્ય સરકાર મંજૂર કરે તેવી રકમનું - (૧) સરકારી જામીનગીરીઓમાં. (૨) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્ય અનુસૂચિત બેન્કોમાં બાંધી મુદતની અનામતમાં. (૩) રાજ્ય સરકારે મંજૂર કરેલી સ્થાવર મિલકતોની ખરીદીમાં અને નીચેના નિયમોમાં નિર્દિષ્ટ કરેલી શરતોને આધીન રહીને એવી રીતે ખરીદેલી અથવા અન્યથા સંપાદન કરેલી જમીનો ઉપર મકાનોના બાંધકામમાં રોકાણ કરી શકશે. મકાનોનાં વીમા લેવા બાબત :- બાંધકામ કરેલા, ખરીદેલા અથવા અન્યથા સંપાદન કરેલા તમામ મકાનોના રાજ્ય સરકારે મંજૂર કરેલી વીમા કંપનીમાં વીમો ઉતરાવવા જોઇશે. અમુક ચા માટે ફ્રજિયાત જોગવાઇ - સ્થાવર મિલકત ખરીદવામાં અથવા અન્યથા સંપાદન કરવામાં આવે અથવા નિયમ ૬૪ હેઠળ મકાનો બાંધવામાં આવે ત્યારે, રાજ્ય સરકાર માવે તેટલી રકમ, નીચેના ચા અને ખર્ચાને પહોંચી વળવા માટે જુદી રાખવામાં આવશે. (૧) સરકારને ચૂકવવાનું જમીન મહેસૂલ. (૨) સરકારને અથવા કોઇ સ્થાનિક સત્તાધિકારીને ચૂકવવાના વેરા, દરો અને સેસ. (૩) વીમા ચાર્જી. (૪) મરામતો. (૫) વહીવટી ખર્ચ. (૬) ડૂબત અથવા ઘસારા ફ્ર.

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106