Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 62
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તો સ્વમાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ ? સસરાને ત્યાં મિલ હોય કાપડની અને આપણને જોબ છૂટી ગઈ હોય, ત્યારે શું સસરાને ત્યાં જઈને આમ આમ કરીને બેસી રહેવું ? એ કશું બોલે નહીં ને તમે માંગણી કરો ખરા કે મને જોબ આપો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : જાણે છે તો ય બોલતો નથી સસરો. મેલ પૂળો ત્યારે, હું તો મારે ઘેર જઉં છું. કંઈક તો સ્વમાન હોય કે ના હોય, બળ્યું ! ક્યાં સુધી આમ જાનવરનું જીવન જીવવું !! ८८ એક ફેરો તમને ઘસી નાખે એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. ઘસી નાખે તો ત્યાં સુધી નહીં જવું. એ શેનાથી ઘસી નાખે છે ? વિષયોની લાલચને લઈને. ત્યારે એ તો બહુ યોગી જેવું રહેવું જોઈએ. વિષય એટલે શું ? કે થાળી એ પણ વિષય. જમણ આવ્યું, હવે એ મૂક્યું આપણે અને આ ગઈ કાલે આખો દહાડો ઉપવાસ કર્યો'તો, ને અત્યારે જમવાનું અગિયાર વાગે મૂક્યું અને સરસ કેરી ને બધું ય હોય પછી તરત લઈ લે. હવે જમ્યા ય નહીં ને ત્યાર પહેલાં તો ઉઠાવી લે. તો તે ઘડીએ મહીં પરિણામ ના બદલાય ત્યારે જાણવું કે આપણને આ વિષયનો વાંધો નથી. વિષય યાચકપણું ના થવું જોઈએ. લાચારી ના હોવી જોઈએ. એ શબ્દ સમજાય એવો છે ? આ બાઉન્ડ્રી તમને બતાવું. કોઈ પણ વસ્તુમાં યાચકપણું ના જોઈએ. નહીં મળે તો કહેશે, જલેબી લાવો ને થોડીક, જલેબી લાવો. મેલને મૂઆ, અનંત અવતાર જલેબીઓ ખાધી તો ય હજુ યાચકપણું રાખો છો ? જેને લાલસા હોયને તેને યાચકપણું થાય. યાચકપણું એ લાચારી છે, એક જાતની ! આ તો વિષયની ભીખ માંગે છે એટલે એ બધા જાનવર કરતાં ય ભૂંડા જ કહેવાય ને ! ખાવાની ભીખ મંગાય. પણ ખાવાની ભીખ માંગતા નથી, ત્રણ દહાડા થાય તો ય. એવાં ખાનદાન માણસ વિષયની ભીખ માંગે છે. મેં કહ્યું, જાણે અમેરિકામાં નહીં માંગતા હોય ? તો કહે છે, એ વાત જ જવા દો, અહીં બધું બહુ છે, વધારે પ્રમાણ છે. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : પુરુષોને વિષયની ભીખ હોય એમ સ્ત્રીઓને પણ વિષયની ભીખ હોય છે ને ? te દાદાશ્રી : હા, એટલું પુરુષને જો આવડી જાય ને, તો પુરુષ જીતી જાય જગત. જીતે નહીં તો પુરુષ યુઝલેસ થઈ જાય. પુરુષ, પુરુષ ક્યાં સુધી કહેવાય ? સ્ત્રી એની પાસે વિષયની ભીખ માંગે ત્યાં સુધી ! વધુ વિષયી સ્ત્રી છે. છતાં પુરુષ મૂર્ખા બની જાય છે એ ય અજાયબી છે ને ! આવું સાંભળ્યું ય નથી. આમાં ભૂલ થઈ છે, તે ય જાણતા નથી. ભીખ માંગે છે, તે ભૂલ થઈ છે, તે ય ખબર નથી. પ્રશ્નકર્તા : એવી ભૂલ તો કદિ ખબર પડતી જ નથી માણસને. નહીં તો ભૂલની તો ખબર પડે તો ફરીથી એ કરે નહીં. હા, દાદાશ્રી : પડતી જ નથી. બિસ્ટ, વાઈલ્ટ બિસ્ટ કહું છું હું તો ! ક્ષત્રિયપુત્ર કોણ ? કે આવી ભીખ માંગવાનો અવસર આવે, તે પહેલાં તો બિલકુલ બંધ જ કરી દે, કરે જ નહીં કાયમને માટે, પરમેનન્ટ બંધ. સ્ટોપ ફોર એવર. કારણ કે આ દાનત છે માટે એ સ્ત્રી, સ્ત્રી જ ના ગણાય. એને સ્ત્રી કહેવાય જ કેમ કરીને ? એ તો માર્કેટ મટિરિયલ કહેવાય. હિન્દુસ્તાનની સ્ત્રીઓ, સ્ત્રી રૂપે હોવી જોઈએ ! શું જાનવરપણું આવ્યું છે ? જુઓને, મારે ઠપકાં આપવા પડે છે ! એતાથી જ અથડામણ ! પ્રશ્નકર્તા : વિષયની લાલચમાં પોતે સફળ ન થાય ત્યારે શંકા ને એ બધું પછી કરે છે ને ? દાદાશ્રી : સફળ ના થાય એટલે બધું ય કરે. શંકાઓ કરે, કુશંકાઓ કરે બધી, બધી જાતના વેશ કરે એ પછી. યા અલ્લાહ, પરવરદિગાર થાય પછી ! એટલે લાચાર હઉ થાય પછી પણ એ જ એને પાછું ફજેત કરે તે જુદું. એના કબજામાં ગયા એટલે ફજેત કર્યા વગર રહે નહીં ને ! પ્રશ્નકર્તા : પણ વિષય હોય તો જ ધણીપણું કરતો હોય ને !

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164