Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 131
________________ ૨૧૫ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય અને જાગૃતિ રહી, પછી શું જોઈએ આપણને ? આ ના ગમતું છે એ વાત નક્કી થઈ ગઈ. આ તો કરારી બાબત, કુદરતના કરાર આપણી સહમતિથી થયેલા છે. હવે એ કરાર ભંગ કરીએ તો ચાલે જ નહીં ને ? પોલીસવાળો પકડીને લઈ જાય છે એવી રીતે થાય છે ? પ્રશ્નકર્તા : હા. ૨૧૪ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : મોહ ફરી વળે. અને કરે છે કોણ તે પોતાને ખબર નથી. એ એમ જાણે કે આ જ કરે છે. નથી, એ જ નથી આવતા. એમની જ ઈચ્છા નથી આવવાની. પ્રશ્નકર્તા : આ પિકચર, નાટક, સાડી, ઘર, ફર્નિચર એનો મોહ હોય છે એનો વાંધો નહીં ને ? દાદાશ્રી : એનું કશું નહીં, એનો તમને બહુ ત્યારે માર પડે. ‘આ’ સુખ આવવા ના દે, પણ એ સામો દાવો માંડનાર નહીં ને ? અને પેલું તો ‘કલેઈમ” માંડે, માટે ચેતો ! ભોગવે રાગથી ચૂકવે દ્વેષથી ! પ્રશ્નકર્તા : વિષય રાગથી ભોગવે છે કે દ્વેષથી ? દાદાશ્રી : રાગથી, એ રાગમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે. આ મિશ્રચેતન તો ‘ફાઈલ' કહેવાય. પણ પૂર્વભવનો હિસાબ બંધાઈ ગયેલો હોય, ‘દેખત ભૂલ્ફી'નો હિસાબ થઈ ગયો એટલે એને છૂટકો જ નહીં ને ! એની ઇચ્છા ના હોય, આજે નક્કી કર્યું હોય તો ય પાછો સાંજે જતો રહે, છૂટકો જ નહીં. એ આકર્ષણથી ખેંચાય છે. અહીંથી એ આકર્ષણ થાય છે અને પોતે જાણે કે “ગયો'. ના જવું હોય તો ય જવાય છે એનું શું કારણ ? કે તે આકર્ષણથી ખેંચાઈ જાય છે. પ્રશ્નકર્તા : મિશ્રચેતન સંબંધી ફાઈલ હોય છે. એમાં એક બાજુ જાગૃતિ પણ રહે છે, એક બાજુ મનને અમુક મીઠાશ પણ વર્તાય છે, બીજી બાજુ એ ગમતું નથી, જ્ઞાન ના પાડે છે કે આ બધું યોગ્ય નથી. એના માટે દ્વિધા રહ્યા કરે છે. દાદાશ્રી : એ નથી ગમતું તે જ એ છૂટે છે ને ! ના ગમે તો ય એ કરાર પૂરો કરવો જોઈએ ને ? જે ના ગમતું હોય તે પછી વળગે જ નહીં. જ્ઞાન પ્રગટ થયા પછી ના ગમતું વળગે જ નહીં. મહીં જરા ગમતું હોય તો જ વળગે. ના ગમતું વળગે ય નહીં ને ટકે ય નહીં બહુ દહાડા. એ બે વર્ષે, પાંચ વર્ષે પણ પછી ઉકેલ આવી જાય. માટે કશો વાંધો નહીં દાદાશ્રી : પોલીસવાળો પકડી જાય તો એમાં આપણો જરા ય ગુનો નહીં. રાજી ખુશીના સોદામાં ભૂલ ગણાય. જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય ત્યાં તો પોલીસવાળો પકડી જાય તો ય ગુનો છે. એને જે કર્મ ના ગમે, ત્યાં એને ‘ના ગમે” એના કર્મ બંધાય અને જે કર્મ ગમે તો ત્યાં ‘ગમ્યાં’નાં કર્મ બંધાય. ‘ના ગમ્યામાં' વૈષનાં કર્મ બંધાય, વૈષનાં પરિણામ થાય. આ “જ્ઞાન” ના હોય તો તેને શું થાય ? પ્રશ્નકર્તા : દ્રષનાં પરિણામ થતાં કર્મ ઊલટાં વધારે બંધાય ને ? દાદાશ્રી : નવું વેર જ બાંધે, એટલે જ્ઞાન ના હોય તેને ના ગમતું હોય તો ય કર્મ બંધાય અને ગમતું હોય તો ય કર્મ બંધાય, અને “જ્ઞાન” હોય તો તેને કોઈ જાતનું કર્મ બંધાય નહીં. કામ' કાઢી લો. માટે જ્યાં જ્યાં જે જે દુકાને આપણું મન ગૂંચાય એ દુકાનની મહીં જે શુદ્ધાત્મા છે તે જ આપણને છોડાવનાર છે. એટલે એમની પાસે માગણી કરવી કે મને આ અબ્રહ્મચર્ય વિષયથી મુક્ત કરો. બીજે બધેથી એમને એમ છૂટવા માટે તમે ફાંફા મારો એ ચાલે નહીં. એ જ દુકાનના શુદ્ધાત્મા આપણને આ વિષયથી છોડાવનાર છે. હવે આવી આપણને બહુ દુકાનો ના હોય. થોડી જ દુકાનો હોય છે. જેને બહુ દુકાનો હોય તેને વધારે પુરુષાર્થ માંડવો પડે. બાકી જેને થોડી હોય તેણે તો ચોખ્ખું કરી ‘એઝેક્ટલી’ કરી લેવું. ખાવા-પીવામાં કશો વાંધો નથી. પણ આ વિષયનો વાંધો છે. સ્ત્રીવિષય અને પુરુષવિષય એ

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164