Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 136
________________ ૨૨૪ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આ જ્ઞાન તો બહુ સરસ છે, પણ હવે પેલો ચેતક મજબૂત કરી લેવાનો છે. વિષયમાં સુખ છે, ત્યાં “ચેતક’ બેસાડવાની જરૂર છે. આ વિષયનું આરાધન એ પોલીસવાળો પરાણે કરાવે એવું હોવું જોઈએ. આ ચેતક અમે તમને બેસાડી દીધો છે, પણ આ ચેતકને એટલો મજબૂત કરી લેવાનો છે કે પોલીસવાળાની ય સામો થાય. પણ જો એ ચેતનું ગણકારીએ નહીં તો ચેતક નિર્માલ્ય થઈ જાય. આપણે એ ચેતકને માનતાન આપીએ, એને ખોરાક આપીએ તો એને પુષ્ટિ મળે ! આપણે એ ચેતકના જ્ઞાતા-દ્રષ્ટા અને ચેતક એ ‘ચંદુભાઈને ચેત, ચેત ચેતવ્યા કરે, ‘ચંદુભાઈ” ચેતકનું ગણકારે છે કે નહીં એ આપણે જોવાનું. સુખની ‘બિલિફ’ તો સ્વરૂપમાં જ રહેવી જોઈએ. વિષયમાં સુખ છે એ ‘બિલીફ'માં જ ના રહેવું જોઈએ. એ તો કેવળદર્શનની પેઠ સ્વરૂપમાં જ સુખ છે એવું ‘બિલિફ’માં રહેવું જોઈએ. એવી રીતે આપણે ચેતક મજબૂત કરી લીધો હોય, પછી વાંધો નહીં.

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164