Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 73
________________ ૧૧૦ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દિકરાને કહે છે, ‘જા, ડબલબેડ લઈ આવ, ભલે ત્રણસો ડોલર લેતાં હોય.” એટલે પેલો જાણતો જ નથી કે બાપા ય ડબલબેડમાં હતા, એમના દાદા ય ડબલ બેડમાં હશે. એટલે મુઆ, દાદાને હતો જ નહીં આવો ડબલ બેડ ! આવું ના બોલવું જોઈએ છતાં જો બોલું છું ને ! આવું ના બોલવું જોઈએ ને ? પ્રશ્નકર્તા : શા માટે નહીં ? દાદાશ્રી : કોઈને દુઃખ થાય ને ! આવી રીતે બોલીએ પણ અમે તો જ્ઞાની પુરુષ એટલે કોઈને દુઃખ ના થાય. હું ગમે તેવુ બોલું તો ય અમને જ્ઞાની પુરુષને અંદર વીતરાગતા હોય અને રાગ-દ્વેષ ના હોય. અમને કોઈની પર ચીડ ના હોય. એટલે અમે બોલી શકીએ. પણ આ તમે સમજ્યા ને ? આ બ્રહ્મચર્યનું પૂછયું ત્યારે મારે આ ઉઘાડું કહેવું પડ્યું નહીં તો હું કહું નહીં આવું. પ્રશ્નકર્તા છૂટવાનું જ્ઞાન છે ને ! પછી એ શક્તિનો ઉપયોગ થાય ને બીજામાં. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય અને સૂઈ જવું પડતું હોય. ત્યારે હિસાબ ચૂકતે થયા. પણ ગમે છે કે નહીં એટલું તો પૂછી લેવું. પ્રશ્નકર્તા : પોતાને ગમે, પણ મહીંથી પ્રજ્ઞાશક્તિ અથવા સમજ ચેતવે છે. દાદાશ્રી : મનને તો ભલે ગમે, પણ આપણને ગમે ? તમને સમજાયું ને, આ ભૂલ ક્યાં છે, કેવી થયેલી છે ? અને ભૂલ તો ભાંગવી પડશે ને ? પ્રારબ્ધમાં હોય તે ભોગવવાનું, પણ ભૂલ તો ભાંગવી જ પડે ને ? ભૂલ ભાંગવી ના પડે ? અલ્યા, ‘બેડરૂમ ના કરાય. એ તો એક રૂમ હોય, તે બધાં ભેગાં સૂઈ રહેવાનું ને પેલી તો સંસારી જંજાળ ! આ તો ‘બેડરૂમ કરીને આખી રાત સંસારની જંજાળમાં પડ્યો હોય. આત્માની વાત તો ક્યાંથી યાદ આવે ? ‘બેડરૂમમાં આત્માની વાત યાદ આવતી હશે ?! મનુષ્યપણું ખોઈ નાખે છે. આખા બ્રહ્માંડને ધ્રુજાવે એવાં લોક, જુઓને, આ દશા તો જુઓ ! આ હીન દશા જુઓ. તમે સમજ્યા મારી વાત ? આ વિષયભોગતાં ઓહોહો ! પરિણામ તે કેવાં ?' આત્મામાં કેટલી શક્તિ હશે ? અનંત શક્તિઓ છે આત્મામાં. પણ બધી શક્તિઓ આવરેલી પડેલી છે. જયારે 'જ્ઞાની પુરુષ' પાસે જાવ ત્યારે એ આવરણ કાઢી આપે ને આપણી શક્તિઓ ખીલી ઊઠે. મહીં સુખે ય પાર વગરનું પડયું છે. છતાં વિષયોમાં સુખ ખોળે છે. અરે, વિષયમાં સુખ હોતું હશે ? આ કૂતરાને ય ખાવા-પીવાનું આપ્યું હોય ને તો તે ય બહાર ના નીકળે. આ તો ભૂખને લીધે બિચારાં બહાર ફર્યા કરે છે. આ મનુષ્યો આખો દહાડો ખાઈને ફર્યા કરે છે. એટલે મનુષ્યોને ભૂખનું દુ:ખ મટયું છે, ત્યારે આ લોકોને વિષયોની ભૂખ લાગી છે. મનુષ્યમાંથી પશુ થવાનો હોય ત્યાં સુધી જ વિષય છે. પણ મનુષ્ય પરમાત્મા થવાનો હોય તો એને વિષય ના હોય. વિષય એ તો જાનવરોની કોડ લેંગ્વજ છે, પાશવતા છે, ‘ફૂલ્લી પાશવતા છે. એટલે એ તો હોવી જ ના જોઈએ. દાદાશ્રી : હા માટે. માટે કંઈ નિયમ રાખજો. આ બધાંને ? શું કહું ! ત યાદ આવે આત્મા બેડરૂમમાં ! પ્રશ્નકર્તા : હું તો મારી વાત કરું છું કે જ્ઞાન લીધાં પછી, સતત કેવળ આ ભાવ કરું છું છતાં નથી છૂટતું. દાદાશ્રી : ના, પણ એ તો પહેલાંનો હિસાબ છે ને ! એટલે છૂટકો જ ના થાય. પ્રશ્નકર્તા : વિષય નથી, પણ હૂંફને માટે. એમ થાય કે ના, સાથે સૂવું જ છું. દાદાશ્રી : ના, એમ નહીં પણ એ તો એ જે આ હિસાબ છે ને, તે હિસાબ બધો ચૂકતે થાય છે. હા, એ ચૂકતે હિસાબ થયો ક્યારે કહેવાય, સાથે સૂઈ જતાં હોય અને ના ગમતું હોય એ બધું, અંદર ગમતું ના હોય

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164