Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 85
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૩૩ સળગાવીને ચાંપવી. એ પછી ઓલવાય નહીં, ત્યાં સુધી બળતરા રહ્યા કરે. કડક ઇચ્છા કે નરમ ઇચ્છા હોય તેના પર બળતરાનો આધાર રહે છે. બહુ કડક ઇચ્છા હોય તો બહુ બળતરા ઊભી થાય. આ વિષયની ઇચ્છા તો બહુ બળતરા આપે, જબરજસ્ત બળતરા આપે. તેથી એમ કહ્યું છે ને, કે વિષયમાં પડશો જ નહીં, બહુ બળતરા આપે છે. પ્રશ્નકર્તા : આવું તો કોઈએ કીધેલું જ નહીં ને ! દાદાશ્રી : લોકોને પોલું બધું જોઈએ છે. એટલે કોઈ કહે જ નહીં ને ! લોક પોતે ગુનેગાર છે, એટલે એ બોલે નહીં ને ! બિનગુનેગાર હોય તે બોલે. કારણ કે એક જ ફેરાનો વિષય, તે કેટલા દહાડા સુધી માણસને ભ્રાંતિ છૂટવા ના દે ! ભ્રાંતિ એટલે ડિસીઝન ના આવે કે આ આત્માનું સુખ કે આ પેલું સુખ, એવું ભાન થવા ના દે ! આ જ્ઞાન સાથે જો બ્રહ્મચર્યવ્રત લીધું પછી માથાકૂટ જ નહીં ને ! ઉપાધિમાં ય સુખ વર્ષા કરે ! આ લોકો માંસની પૂતળી છે, એવું શાથી ભૂલી જતાં હશે ? એવું છે ને, મૂર્છાથી એ એમાંથી જેમ જેમ સુખ લે, તેમ તેમ એની પર મૂર્છા આવે છે અને જો છ-બાર મહિના એમાંથી સુખ લે નહીં તો પછી એની મૂર્છા જાય. એટલે પાછું એને રેશમી ચાદરે વીંટેલું માંસ જ દેખાય ! તો જ મળે આત્માતું સુખ ! ચાલીસ રૂપિયે કિલોના ભાવની ચા હોય પણ ટેસ્ટ ના આવે તો એનું શું કારણ ? કે એક બાજુ ચા પીતો હોય, બીજી બાજુ દાડમ ખાતો હોય, જામફળ ખાતો હોય તે પછી ચાનો ટેસ્ટ માલૂમ પડે ? તો ચાનો ટેસ્ટ ક્યારે માલૂમ પડે કે બીજું બધું ખાવાનું બંધ કરી દઈએ ને મોઢુંબોઢું સાફ કરીને પછી ચા પીએ તો સમજણ પડે કે આ ચાલીસ રૂપિયે કિલોના ભાવની ચા બહુ સરસ છે ! ત્યારે ચાનો અનુભવ થાય ! એવું આત્માનો અનુભવ આ બધી વસ્તુઓમાં શી રીતે માલૂમ પડે ? ભાન રહે નહીં ને ? એટલી જાગૃતિ માણસને હોય નહીં ને ! એટલે આવો પ્રયોગ કરીએ, છ-બાર મહિનાનું બ્રહ્મચર્યનું વ્રત લીધું હોય તો પછી આ અનુભવ સમજાય ! ચાનો અનુભવ લાવવા બીજું બંધ કરવું પડે કે ના કરવું પડે ? એવું આત્માનો અનુભવ એવી વસ્તુ છે કે બીજા ટેસ્ટ બધા આઘાંપાછાં ૧૩૪ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય થાય ત્યારે આ ટેસ્ટ સમજાય. ત્યાં સુધી સમજાય નહીં ને ! એટલે અહીં રોજ દોડધામ કરીને શાથી આવે છે ? કારણ કે એને ટેસ્ટ તો રોજ આવે છે, પણ એને ભાન થતું નથી કે ક્યાંથી આવે છે ? એ અદબદ રહે છે. એટલે જ્યારે બ્રહ્મચર્ય એકલું જ હોય, છ-બાર મહિનાનું બ્રહ્મચર્યવ્રત આપ્યું હોય તો એને ખબર પડી જાય કે ખરો આનંદ તો આ છે. પેલો વિષય નથી તો ય આટલો બધો આનંદ રહે છે ! ઊલટો, આ આનંદ તો વધે છે ! પછી એને જ ઓળખાય કે આત્માનો આનંદ કેવો હોય ! નહીં તો ત્યાં સુધી સમજાતું જ નથી કે આ કયો આનંદ ? આનંદ આવે છે એ નક્કી છે, પણ આ પુદ્ગલનો આનંદ કે આત્માનો આનંદ એ એક્ઝેક્ટ સમજાય નહીં ને ! હવે આ કાળમાં મન તો સારું ના રહે, તેથી મનનું પ્રત્યાખ્યાન કરવું અને વાણીથી ય બોલાવું ન જોઈએ અને કાયાથી તો રહેવું જ જોઈએ. આમ મન-વચન-કાયાથી છ-બાર મહિના બ્રહ્મચર્ય રહે તો ‘એક્ઝેક્ટ’ અનુભવ થઈ જાય. આ જ્ઞાન આપેલું છે, એટલે અનુભવ તો થાય છે. પણ જ્ઞાનનો જેવો જોઈએ તેવો સર્વાશ અનુભવ થતો નથી. અનુભવની તીવ્ર જિજ્ઞાસા હોય તે આ રીતે કરે તો કામ થાય, નહીં તો ય વીર્યની ઇકોનોમી તો કરવી જ જોઈએ. તિરાલંબ આનંદ ઓર ! મોટામાં મોટી હરકત તો બહાર બધે દ્રષ્ટિ ખરાબ રાખવી તે છે. બીજું, એથી આગળ આમાં શું કરવું પડે કે આ જેમ વરસમાં સ્કૂલમાં દોઢ મહિનો રજા પડે છે એવું આ વિષયમાં જો એવી છ મહિના રજા લઈ લે તો એને ખબર પડી જાય કે આ સુખ ક્યાંથી આવે છે ? એટલે આ તો તેને સુખ આવે છે એ ચોક્કસ, પણ પરીક્ષા થતી નથી કે સાચું સુખ આમાં ક્યું ? અમને જુઓને, ચોવીસે ય કલાક એકલા રૂમમાં બેસાડી રાખેને, તો ય એ જ આનંદ હોય, જોડે કોઈ એકાદ માણસ હોય તો ય એ જ આનંદ હોય અને લાખો માણસ હોય તો ય એ જ આનંદ હોય. એનું કારણ શું ? અમારે નિરાલંબ સુખ ઉત્પન્ન થાય, અવલંબન જોઈએ નહીં. જગત આખું ય, જીવમાત્ર પરસ્પર છે, એટલે એકબીજાનું અવલંબન જોઈએ. તેથી તો આ લોકોએ લગ્નની શોધખોળ કરેલી કે લગ્ન કરો પછી સામસામી અવલંબન મળી રહે !

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164