Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 126
________________ ૨૦૪ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય રાખે છે અને મોહ ઉત્પન્ન થાય છે. એ અવસ્થાને ય ખ્યાલ રાખે પછી. તેથી આગળની અવસ્થા, પ્રોઢ અવસ્થા, પછી એ ઘડપણ અવસ્થા, પછી લકવાની અવસ્થા, બધામાં શું સ્થિતિ થઈ ? ને પછી ઠાઠડી કાઢતી વખતની અવસ્થા, બાળતી વખતે અવસ્થા. આ બાળતી વખતે અવસ્થા જોઈ હોય ને તે ઘડીએ પ્રેમ કરવાનો કહ્યો હોય તો ? એટલે આ તો પૈણ્યા પછી મુરખ બને છે પણ હવે કહે કોને ? બધા ય મુરખ ત્યાં ! બેનો ય મૂર્ખાઈ એ સમજે છે, કે આવી મૂર્ખાઈ છે આ !! ધણી જોઈને ખોળ્યા અને હવે ધણી લાવીને એ મોંઢા ઉતરી જાયને, ડાચા પડી જાયને, આમથી તેમ થાય, આંખો જતી રહી હોય, કાને સંભળાય નહીં ને ! અને જેને ખ્યાલ હોય આ બધુ તેને વૈરાગ હોય ! તેને વૈરાગ શિખવાડવો ના પડે ! અવસ્થાઓ જેના લક્ષમાં રહે છે, જેટલી લખી છે ને એટલી અવસ્થા અમને લક્ષમાં રહે એટ-એ-ટાઈમ. આ વાત બહાર ના હોય. આવી વાત અહીં જ હોય ! લોકો તો ગપોટી જાય આવી વાત. એમ વૈરાગના વિચાર લાવે ત્યારે વળે; નહીં તો દા'ડો વળે નહીં. મૂળ વાતને, વૈરાગના મૂળ કૉઝીઝને નાશ ન કરવામાં આવે ત્યાં સુધી વૈરાગ શેના આવે ? સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૦૫ ને બુદ્ધિની, પોતાનું તો કંઈ રહ્યું જ નહીં ! પોતાનું ડિસીઝન નહીં. મન, બુદ્ધિની સલાહ માને, મન તો સંકોર સંકોર કરે. પ્રશ્નકર્તા ઃ તમે અમને એ જડીબુટ્ટી બતાવો કે જેથી કરીને અમે કહી શકીએ કે ‘ભાઈ ચોવીશમે વર્ષે આ વિચાર યાદ રાખજે.' દાદાશ્રી : એટલી બધી અવસ્થાઓની તમને જાગૃત્તિ ના આવે. પેલું અમે શ્રી વિઝન આપીએ છીએ ને તે જો વિચાર કર કર કરે તો શ્રી વિઝન ઉત્પન્ન થઈ જાય. એ વિચારો ઉત્પન્ન થઈ જાય ને એનાથી ઘણાં બચે છે. મને કાગળમાં લખે કે ‘તમારા શ્રી વિઝને તો મારું ઘણું કામ કાઢી નાખ્યું.” પેલી બધી અવસ્થાઓ ના આવે, આ તો હું કહું એટલું જ છે ! મારા કહેલા ઉપર વિચાર આવે કે હા, આ વાત ખરી ! પ્રશ્નકર્તા: જુવાનીમાં જે મોહ ઉત્પન્ન થાય છે, તે મોહ ઉત્પન્ન કેવી રીતે ન થાય, એટ-એ-ટાઈમ બધી જો અવસ્થાઓ જુએ, તો... દાદાશ્રી : તો મોહ ના થાય પણ એટ-એ-ટાઈમ તો અવસ્થાઓ તો કેવી રીતે જોઈ શકે ! માણસનું ગજ નહીં ને ! એટલી બધી શક્તિ ના હોય, દાળભાત-રોટલી-શાક ખાનારો કે માંસાહાર કરનારાઓનું કોઈનું ગજુ નહીં આ. કોઈ અપવાદ જ હોય. બાકી આમાં કોઈ હોય નહીં. એનું ગમતું દેખાડે એટલે મોહ ઉત્પન્ન થાય જ. પ્રશ્નકર્તા : જે સાંઠ વર્ષે જે બોલીએ તે એક વાત છે અને પચીસમે વર્ષે જે બોલીએ તે એક વાત છે, ત્યારે એ જાગૃતિ રહેવી જોઈએ. દાદાશ્રી : જાગૃતિ જુદી વાત છે. પચીસમે વર્ષે બોલવું એ જેવી તેવી, લાડવા ખાવાની વાત નથી. ત્યારે તો મોહનો અંધ થયેલો હોય. મોહાંધ’ એટલે તે ઘડીએ જોતી વખતે પાછો સલાહ કોની માને ? મનની

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164