Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 92
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૪૭ તો સુખ તો મોક્ષમાં છે. અને એ વિષય ના હોય તે દહાડે તું સુખ તો જો ! એક વર્ષ દહાડાનું બંધ કરીને જુઓ ! અનુભવ કરો ત્યારે થાય. પરમ દહાડે ચાર-પાંચ જણ આવ્યા હતા ને મેં તો ઊભું પૂછ્યું તો મને તો અરેરાટી છૂટી ગઈ કે આવાં માણસો છે હજુ ! હું તો જાણું કે વિષયમાં ડાહ્યા થઈ ગયા હશે ! ત્યારે વધુ વિષયી થયા. આ તો કોણ પૂછનાર છે, હવે તો દાદા છે ને માથે ! અલ્યા મૂઆ, આવું થયું ?! બીજું બધું મેં છૂટ આપી છે. બીજા ચાર વિષયો આંખના કરો, બીજા કરો, પણ આ નહીં. આ સામું ક્લેઈમવાળું છે, એગ્રીમેન્ટવાળું છે, ભયંકર. એ જ્યાં જશે ત્યાં લઈ જશે. હું તો ચાર-પાંચ જણને પૂછીને તો સજ્જડ થઈ ગયો. મેં કહ્યું, ભઈ, આવી પોલ તો ના ચાલે, અનિશ્ચય છે આ તો. એ તો કાઢવી જ પડે. બ્રહ્મચર્ય તો પહેલું જોઈએ. આમ નિશ્ચયથી તમે બ્રહ્મચારી જ છો પણ વ્યવહારથી ના થવું જોઈએ ? વ્યવહારથી થવું જોઈએ કે ના થવું જોઈએ ? બાપ અનુસર્યા દીકરાતે ! આવી વાત કરવામાં આબરૂ ના જતી રહે ? પ્રશ્નકર્તા : ના, આબરૂ જતી રહે નહીં. પણ રોગ નીકળે છે. દાદાશ્રી : રોગ નીકળે છે, નહીં ? થોડો નીકળ્યો ? પ્રશ્નકર્તા : બહુ. દાદાશ્રી : ત્યારે સારું. ત્યારે રોગ ને અમારે કંઈ લેવાદેવા છે કંઈ ? ગુરુપૂર્ણિમા પછી આવો, બ્રહ્મચર્યવ્રત આપી દઈએ, જો મઝા ૨હેશે. સુખ પછી જ આવે ! એક ભાઈ શું કહેવા માંડ્યા'તા ? મારા છોકરાને મેં આનંદમાં જ દીઠાં, તે મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. પણ લીધું પછી તો, જો આનંદ જામે. એટલે એક્સટેન્શન કરાવ્યા કરે છે પછી. જામે એટલે પછી ! પહેલી તો ભડક લાગે, શું થશે, શું થશે ? શું થવાનું છે પણ તે ? આ શું ગંદવાડાથી છેટા રહીને શુદ્ધાત્મા જોઈએ. એટલે બહુ નિરાંત થઈ ગઈ ! આપણું જ્ઞાન હોય તો બ્રહ્મચર્ય પળાય, નહીં તો પળાય નહીં. મન બગડ્યા જ કરે. દ્રષ્ટિ બગડ્યા જ કરે. આ તો આપણી દ્રષ્ટિમાં શુદ્ધાત્મા ૧૪૮ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દેખાય ને ! કશો વિચાર જ ના આવે. જરૂર નહીં પડે. એવું મહીંથી આનંદ થશે. એ ભાઈ કહેતા'તાને બહુ આનંદ છૂટ્યો ?! બધા ય જેણે બ્રહ્મચર્ય વ્રત લીધાં ને ! હજુ ત્રીસ-ત્રીસ વર્ષની ઉંમરના માણસો આવે છે, બેઉ સાથે ! અમે આ બ્રહ્મચર્યની ચોપડી વાંચી ને હવે અમારે બ્રહ્મચર્ય વ્રત લેવું છે ! આવાં બધા દુઃખો ? મેં કહ્યું, ‘તમે જાણતા નહોતાં ?” ત્યારે કહે, “ના, કોઈએ કહ્યું જ નહીં ને ?’ બધાં એ કહ્યું કે, ખરું સુખ આમાં છે. એટલે અમે ય માની લીધું. આ તો તમે કહ્યું એટલે અમારા આત્માએ કબૂલ કર્યું. પાછું એક સ્ટ્રોકમાં તો કેટલાંય જીવો મરી જાય છે ? તે શા સુખ મળવાનાં, તે આટલાં જીવ મારીને ? ને સુખ એમાં કશું ય છે નહીં ! બહાર લોકોને જ્ઞાનપૂર્વકનું નહીં ને ! જ્ઞાનપૂર્વકનું બ્રહ્મચર્ય હોય ત્યારે બહુ અસર થાય ! બાંધીને ઉપવાસ કરાવીએ, એના કરતાં ઉપવાસ સમજીને કરીએ તો તો એની વાત જ જુદીને !! તક્કી કર્યું ત્યાંથી જ ઉર્ધ્વકરણ ! શીલ ઉર્ધ્વકરણની શરૂઆત કરવી હોય તો થાય. બ્રહ્મચર્ય વ્રત લઈને નક્કી કર્યું ત્યાંથી જ ઉર્ધ્વકરણ. કેટલા આનંદમાં રહે છે ! આ તો આપણા આત્માનો આનંદ નથી રહેતો. બળ્યું, આમાં ને આમાં ખોવાઈ જઈએ. મોંઢા પણ પડી ગયેલા હોય બધું. આખો દહાડો લાલચમાં ને લાલચમાં ! હવે આટલાં વર્ષ થયા, માણસ ના સમજે ?! ચેતીને ચાલવું સારું હવે. અને કંટ્રોલ પેલો એ રાખવો જ પડે. કંટ્રોલ રાખે નહીં ને, તો માણસને એ કંટ્રોલના વિચારે ય છૂટા થઈ જાય પછી. બધું ખુલ્લું જ થઈ જાય એ બધું. એટલે ઘણાં માણસ તો કંટ્રોલ રાખીને, તે થાય દોષો પણ તે દોષોની ક્ષમા માંગી લે, બસ. પણ આ કંટ્રોલ ઊડી જાય ને, તો કશું રહે જ નહીં. એટલે હમણાં વર્ષ-બે વર્ષ તમે છૂટું રાખો. તમે અભ્યાસ કરી જુઓ એમાં કંઈ ફાયદો જો સારી રીતે થાય તો. નહીં તો પછી આ પ્રમાણે લેવું. દરેકની રીત જુદી હોય પાછી. એવું કે કાયદો અમુક જ ના હોય બધાંને. રસ્તો એ સારો છે આ કળિયુગમાં, આ દુષમકાળમાં. કારણ કે દાદા યાદ આવે અને દાદા ફરી યાદ રહ્યા છે ને ! તેથી કોઈને ભય જ નહીં ને ! જેમ ઘરમાં ય કોઈ કહેનાર

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164