Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 79
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૨૧ બગડે, બીજું કશું નહીં, પણ આરોગ્ય બધું ખલાસ થઈ જાય ! પ્રશ્નકર્તા : સેક્સ ન દબાવવો જોઈએ નહીં તો રોગ થાય છે. દાદાશ્રી : રોગ થાય છે, વાત સાચી છે. એ દબાવવાનું એવું નહીં. ઉપવાસ રાજીખુશીથી કરવા માટે વાંધો નથી, ભૂખને દબાવવાનો વાંધો છે. હઠાગ્રહ કરવાનો વાંધો છે. પ્રશ્નકર્તા : તો અબ્રહ્મચર્ય એ ય નેચરના કાયદાની વિરુદ્ધ છે ને ? દાદાશ્રી : અબ્રહ્મચર્ય નેચરની વિરુદ્ધ નથી. અબ્રહ્મચર્યની નોર્માલિટી જોઈએ પાછી. અબ્રહ્મચર્યની નોર્માલિટી ચૂકે પછી નેચરની વિરુદ્ધ કહેવાય. અબ્રહ્મચર્યની નોર્માલિટી કોને કહેવાય ? એક પત્નીવ્રત હોવું જોઈએ. વળી એનું પ્રમાણ પાછું કેવું હોવું જોઈએ કે મહિનામાં આઠ દહાડા કે ચાર દહાડા, એ એનું પ્રમાણ. પછી તમને ફળ તરત મળે. નેચર તમારી સામી ના થાય. પ્રશ્નકર્તા: નેચરની વિરુદ્ધ ગયાનો દાખલો આપો ને ? દાદાશ્રી : આ રસની કેરી આપણે ખાઈએ છીએ, તે નેચરલ છે. પણ જો પ્રમાણમાં વધારે ખવાઈ જાય તો તે અન્નેચરલ છે. ના ખાવ તો તે ય અન્નેચરલ છે !!! પ્રમાણથી વધારે ખાવ તો એ બધું પોઈઝન છે. એનું પ્રમાણ સચવાવું જોઈએ. નેચર પ્રમાણને સાચવવા માગે છે. પ્રશ્નકર્તા : પશુઓને તો કુદરતી હેલ્પ છે ને ? દાદાશ્રી : ના, એમનું ચલણ જ કુદરતી છે. એમનું પોતાનું ચલણ જ નથી. આ તો આપણા લોકોને આ કશું ભાન નથી. આ કળિયુગના માણસો કરતાં જાનવરો ય સારાં હોય કે નિયમમાં રહે છે. કળિયુગના માણસોને નિયમ જ નહીં ને ! પ્રશ્નકર્તા : એવું કેમ થયું કે જાનવરો નિયમમાં અને મનુષ્યો નિયમમાં નહીં ? દાદાશ્રી : જાનવરોને તો કુદરતી ખરું ને ! એટલે નિયમમાં જ ૧૨૨ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય હોય. આ મનુષ્યો એકલાં જ બુદ્ધિશાળી. એટલે એમણે જ બધી આ શોધખોળ કરેલી. પછી અત્તરો ચોપડે, સુગંધી લઈને દુગંધીને ટાળે. પણ દુગંધ તે એમ કંઈ જતી હશે ? આ જાનવરો ય દુષ્યારિત્રવાળા નથી હોતાં. જાનવરો ય ચારિત્રવાળા હોય છે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : જાનવરોને તો અમુક જ સીઝનમાં વિષય હોય અને આ મનુષ્યોને તો સીઝન-બીઝનનું ઠેકાણું જ નહીં. જાનવરો કરતાં ય મનુષ્યો ભૂંડા છે, જાનવરોમાં તો કશો અવગુણ છે જ નહીં. બધા અવગુણોનું ખોળિયું હોય તો આ મનુષ્યો. ચારિત્ર મુખ્ય વસ્તુ છે. ચારિત્રના આધારે તો મનુષ્ય પણ દેવ કહેવાય છે. લોક કહે છે ને, કે આ દેવ જેવા માણસ છે ?! જ્ઞાતીઓ'તું બ્રહ્મચર્ય ! પ્રશ્નકર્તા ઃ તો બ્રહ્મચર્ય નેચરની વિરુદ્ધ થયું ને ? દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય તો નેચરની વિરુદ્ધ જ છે ને ! પ્રશ્નકર્તા : તો પછી જગતમાં બ્રહ્મચર્ય લે છે, અપાય છે, તે શા માટે ? દાદાશ્રી : એ તો પૂર્વ ભવે ભાવ કરેલા, તેનું ફળ છે. પ્રશ્નકર્તા : એ શી રીતે ખબર પડે કે આપણે પૂર્વે ભાવ કરેલા છે ? દાદાશ્રી : એ તો કો'ક જ માણસ હોય, કરોડોમાં એકાદ જણ હોય, બહુ હોય નહીં ને ! આ સાધુ-મહારાજોને શાથી વૈરાગ આવતો હશે ? પ્રશ્નકર્તા : પૂર્વે ભાવેલું હોય ત્યારે. દાદાશ્રી : એટલે અમે શું કહેવા માંગીએ છીએ કે કરાંજીને બ્રહ્મચર્ય ના પાળીશ. બ્રહ્મચર્યની ભાવના ભાવો, બ્રહ્મચર્ય એ તો ભાવનાનું ફળ છે. બાકી આ સાધુ બ્રહ્મચર્ય પાળે છે, એ ભાવનાનાં ફળરૂપે છે. એમાં એની જાગૃતિ ના ગણાય. જાગૃતિ તો, જ્ઞાની પુરુષોએ પૂર્વે ભાવના ભાવી

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164