Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 81
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૨૫ એટલે શું કે જયાં આખા મનુષ્યપણાનો બધો ટાઈમ જ નિરર્થક ખોઈ નાખવો. એ ગારવતા તમે નહીં જોયેલી ? ગારવતા એટલે શું કે કોઈ મિલ આગળ રસ્તા પાસે તળાવ જેવું ખાબડું પડયું હોય ને, તેમાં પાણી ભરાઈ રહેવાનું. એ ગંદવાડાવાળું પાણી પછી નર્યું ગંધાયા કરે. આ પાણી આમ કાયમ ભરાઈ રહેવાનું, એટલે પાણીની મહીં આટલો આટલો બબ્બે, ત્રણ ત્રણ ફૂટનો કાદવ હોય. તો ઉનાળાને દહાડે ભેંસ શું કરે ? ભેંસનો સ્વભાવ બહુ ગરમ, તે એનાથી આ બપોરની ગરમી સહન થાય નહીં. એટલે પછી આ ખાબડું જુએ એટલે ત્યાં મહીં પેસી અને ધબ્ધ કરીને બેસે. બેસે તેની સાથે બધો કાદવ એના આખા શરીરે ફરી વળે. પછી એ ભેંસ શું કરે કે એનું મોટું એકલું પાણીની બહાર રાખે અને આ કાદવથી ભરેલું એમાં આખું શરીર ગરકી જાય એવું રાખે. તે આ કાદવની મહીં એને ફ્રીઝ જેવું લાગ્યા કરે. હવે એમાં, ગંધની તો એને સમજણ જ નથી. આમ સારી-ખોટી એને સમજણ તો ખરી જ, પણ એને ગંધની કંઈ પડેલી નથી. એ તો બસ, કાદવની ઠંડકની મહીંથી ખસે જ નહીં. હવે ધણીને બપોરે ત્રણ વાગે જરૂર હોય, એટલે ધણી છે તે આવીને કહે કે, “લે, લે, આવ.’ પણ તે ના આવે. પછી ઘાસનો પૂળો લાવ્યો. એ ધરે તો ય ભેંસ આમ કાન હલાવીને જુએ ખરી, પણ પાછું કશું ય નહીં. આવું ફ્રીઝ મૂકીને એ કંઈ બહાર આવતી હશે ? પછી પેલો ધણી સમજી જાય કે આને લાલચ કંઈ મૂકો તો આવશે. નહીં તો નહીં આવે, એને ઠંડક થઈ ગઈ છે એટલે હવે એ ઊઠે નહીં. એટલે પેલો કપાસિયાનો ટોપલો લઈ આવે, બીજું બધું નાખેલું હોય ને ભેંસને દેખાડીને કહેશે કે, ‘લે, લે, લે.' પેલી આમ જુએ તો ય એને ટોપલાની કશી પડેલી જ નથી. આવી ફ્રીઝની ઠંડક એને કયાં મળે ?! એવું આ, જગતના લોકો વિષયોની ફ્રીઝ જેવી ઠંડકમાં પડી રહ્યા છે. વિષયરૂપી ગારવતા છે, તેમાં પડી રહ્યા છે. એ કાદવ નર્યો ગંધાય છે, પેલો સારું ખાવાનું ટોપલામાં ધરે છે તો ય એને ત્યાં આગળ આ ખાવાનું નથી ગમતું. આ ગારવામાં આખું જગત ફસાયું છે. ભલે ફસાયા હોય, ફસાયા તેનો સવાલ નથી. કેટલી મુદત માટે ફસાયા તેનો ય સવાલ નથી, પણ આજથી નક્કી તો કરવું જોઈએ ને ? કે હવે આ ના જોઈએ ૧૨૬ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કયારે ય પણ. એના વિરોધી તો કાયમ રહેવું જોઈએ ને ? નહીં તો જો, બે એકમત થઈ ગયું. અંદર-બહાર એકમત થઈ ગયું કે ખલાસ થઈ ગયું. તમારે કેટલું એકમત થાય છે ? કે જુદું રહે છે ? પ્રશ્નકર્તા : જુદું રહે છે. દાદાશ્રી : કાયમ ? મને નથી લાગતું કે આ શુરવીરો (!) જુદા રહે એવા છે ! આ શુરવીરોનાં તે ગજા શાં ?! જેને જાગૃતિ મંદ થયેલી છે !! નહીં તો વિષય તો ઊભો જ ના થાય ને ! અને થાય તો વખતે પૂર્વ પ્રયોગ હોય તો. પણ ત્યારે પોતાની દ્રષ્ટિ મીઠાશવાળી ના હોય, નરી કંટાળેલી દ્રષ્ટિ હોય ! જેમ ના ભાવતું ખાય છે ને, ત્યારે એનું મોટું કેવું હોય ? ખુશમાં હોય ? મોટું પણ ઊતરી ગયેલું હોય ને ! પણ ખાધા વગર છૂટકો નથી, ભૂખના માર્યા ખાવું પડે છે. એટલે ના ભાવતું છે એને ! જગત એવી ગારવતામાં પડી રહેલું છે. છતાં ય પૂર્વ પ્રયોગી હોય, તો બંધાયેલા છે, ત્યાં છૂટકો જ નથી. પણ તો ય એના તરફ નિરંતર દાઝ, દાઝ ને દાઝ જ રહેવી જોઈએ અને મનમાં એમ થયા કરે કે આ મને કયાં ભેગું થયું પાછું ? એવી જાગૃતિ જ કયાં છે તે ? બધી ડલનેસ છે ! ગારવતામાં ફસી રહ્યું છે, તે શી રીતે નીકળે ? પરાણે ખાવું પડે તે મોટું ખુશમાં હોય કે ? પણ આ તો ઊતરી ગયેલાં મોઢાં જ નથી હોતા. જાણે બધા બગીચામાં ફરવા નીકળ્યા હોય એવાં તો મોઢાં દેખાય છે ! નહીં તો અમારા શબ્દો નોંધીને જો એ પ્રમાણે ચાલે ને, તો પાછલા દોષ બધા નીકળી જાય. બાકી પુર્વ પ્રયોગ તો છે જ, એમાં અમારાથી ના કહેવાય નહીં ને ! આ ખાવું પડે એ પૂર્વ પ્રયોગના આધારે. પણ આપણે મોટું ઊતરી ગયેલું હોવું જોઈએ. પેલો કહે કે “જમવા બેસો. ત્યારે પોતે પરાણે, ખેંચાતા મને જમવા બેસે. એવું ખેંચાતા મને કોઈ દહાડો ય ખાધેલું ખરું ? એમાં બહુ મજા આવે ? એટલે આનો કાયદો જો સમજે કે આની ઉપર દાઝ, દાઝ ને દાઝ જ રહેવી જોઈએ. પણ આ તો તલાવડી દીઠી કે ભેંસ ખુશ ! ફ્રીઝ આવ્યું ! હવે શું થાય અને તે ?! એટલે આ બધું ગારવતામાં ફસાઈ ગયેલું છે, તેથી પ્રભુને વિનંતી કરે

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164