Book Title: Bharatni Ek Viral Vibhuti Author(s): Chitrabhanu Publisher: Jain Yuvak Mandal View full book textPage 9
________________ ભારતની એક વિરલ વિભૂતિ છે. પૂર્ણ આત્માના પ્રકાશથી દિશામાં વિલસી રહી. આ રળિયામણું સમયે એમને મુખકમળ પર અખંડ અને નિર્દોષ આનન્દ, વિધવાત્સલ્ય ને પ્રશાન્ત ગાંભીર્યને ત્રિવેણી સંગમ જામ્યો સાડાબાર વર્ષ સુધી સેવેલા મૌનનું દિવ્ય તેજ આ વિરલ વિભૂતિના શરીરના રે માં દ્વારા ફેવારાની જેમ વસુંધરા પર પ્રકાશ પાથરી રહ્યું. વર્ષોને અને એમની મેઘ-ગંભીર મંજુલ ધ્વનિ સાંભળીને શું દે કે શું દાન, શું માને કે શું અજ્ઞ પ્રાણુઓ; બધા એમની નિકટમાં આવવા લાગ્યા. એમનો ઉપદેશ સાંભળવા એ બધા અધીર બન્યા. આ વિરલ વિભૂતિએ મેઘ-ધારાની પેઠે ઉપદેશ પ્રારંભે – “મહાનુભાવે ! જાગે ! વિલાસની મીઠી નિદ્રામાં કેમ પિોઢયા છે ? તમારું આત્મિક-ધન લુંટાઈ રહ્યું છે. કેધ, માન, માયા અને લાભ આ ચાર મહાન ધૂત છે. એ તમને મેહની મદિરાનું પાન કરાવી, તમારા જ હાથે તમારી અમૂલ્ય સંપત્તિનો નાશ કરાવી રહ્યા છે માટે ચેતે ! સાવધાન બને! જાગરૂક બને ! અને એ ઓંને સામને કરે. ” આ સચોટ ઉપદેશ સાંભળી ભક્તો હાથ જોડી કહેવા લાગ્યા–“નાથ આપ શક્તિમાન છે. આપ આ ધૂતને સામને કરી શકે છે, પણ અમે નિબળ છીએ, ધૂત સબળ છે; અમારાથી એમને સામને કેમ થઈ શકે ? અમારા માટે આ કાય કઠિન છે-કપરૂં છે-અઘરું છે. આપ તો સમર્થ છે. આપની સરખામણી અમારાથી કેમ થાય?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48