Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ દીક્ષા ગ્રહણ ને રત્નકમ્બલની પ્રાપ્તિ : ૧૭ : શિવભતિ ત્યાં પહોંચે. ઉપાશ્રયની મધ્યમાં જ વિરાજેલા આચાર્ય મહારાજશ્રીના દર્શન કર્યા. તેઓ પૂજ્યશ્રીના ચરણમાં નમન કરી મસ્તક ઝુકાવી તે ત્યાં બેઠે. આચાર્ય મહારાજે તેને ધર્મોપદેશ આપે. શિવભૂતિએ તેઓ પૂજ્યશ્રીના મધુર વચને હદયમાં ઉતાર્યા. અન્તઃકરણમાં અજવાળું થતું હોય તેમ તેણે અનુભવ્યું. તેને શાતિને સાચો રાહ સાધુધર્મમાં જ સમજાય. સંયમ સ્વીકારવાની તેને વૃત્તિ થઈ. પિતાના જીવનને ટૂંકમાં જણાવી તેણે પૂજ્ય મહારાજશ્રીને કહ્યું-વિનતિ કરીઃ ભગવાન મને સંયમ આપી આપની છાયામાં રાખે, મારે ઉદ્ધાર કરે.” ભદ્ર! આમ આવેશમાં દીક્ષા લેવા કરતાં તું સમર્થ છે . એટલે તારા સ્વજનેને સમજાવીને આવ, તારા સ્વજનની સહમતિથી સંયમ લઈશ તે સર્વની શોભામાં અભિવૃદ્ધિ થશે.” આચાર્ય મહારાજશ્રીએ સમજુતિથી કાર્ય કરવા કહ્યું. મનસ્વી શિવભૂતિ ફરી ઘરે જાય ને સ્વજનેને સમજાવે એ શક્ય ન હતું. તેણે ત્યાં ને ત્યાં સ્વયં લેચ કરી વેષ ધારણ કર્યો. આચાર્ય મહારાજે વિચાર્યું કે હવે શું ? આ કૃત્યની જવાબદારી આપણું ઉપર જ આવશે માટે હવે તેનું પાલન કરવું જ ઉચિત છે. વિધિવિધાન કરાવી રાજ્યમાન્ય છે એટલે કદાચ ઉપદ્રવ થાય એમ વિચારી શીધ્ર ત્યાંથી વિહાર કરી ગયા. ઉપરના પ્રસંગને વર્ષો વીતી ગયાં. શિવભૂતિ મુનિ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી વિદ્વાન્ બન્યા હતા. જનતાને સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48