________________
ભારતની એક વિરલ વિભૂતિ
અશકય છે ! ધમધતાએ સત્ય ધર્મને ગુંગળાવી નાખે છે, માનવોને અલ્પ બનાવ્યા છે. આ અભ્યતામાંથી કલહ અને કંકાસનું સર્જન થયું છે. આ ધર્માન્જતાથી મહાયુદ્ધો થયાં છે. માનવી, માનવીને શત્રુ થયો છે આજ અન્ધતાને લીધે જ્ઞાન પણ અજ્ઞાનમાં ફેરવાઈ ગયું છે. હિંસા, પણ અહિંસાને નામે પ્રગટી છે. પાપ પણ પુણ્યના નામે જીવતું થયું છે. અમે પણ ધર્મને બહાને પ્રગટ થયે છે માટે સત્ય ધર્મ મેળવવાને અમેઘ ઉપાય બતાવું છું તે પ્રમાદ ત્યજી સાંભળે!
જીવન-વિકાસને અમઘ ઉપાય અનેકાન્તવાદ છે. અને કાન્તવાદની કસોટી પર ધર્મની પરીક્ષા સુંદર રીતે થઈ શકે છે. માટે જીવનમાં અનેકાન્તવાદ કેળવે, એના વડે વિશ્વાત્મય કેળવે. એક એકને સમન્વય સાધે. અનેકાન્ત એ પૂણ દષ્ટિ છે. એના વડે વિશ્વમાં રહેલા સત્ય તનું ગવેષણ કરો. અનેકાન્તવાદ એ સાર્ચ ન્યાયાધીશ છે! એ જ વિશ્વને નિષ્પક્ષપાત સાચે અને પૂર્ણ ન્યાય આપશે. એ અસત્યના કાળા પડદાને ચીરી નાંખશે અને સત્યના દર્શન કરાવશે. આ અનેકાન્તવાદને સ્યાદ્વાદ કહે કે સાપેક્ષવાદ કહે, બધું એક જ છે. આ અનેકાન્તવાદની દષ્ટિ જ્યાં સુધી જીવનમાં નહિ આવે ત્યાં સુધી માનવીને વિકાસ થંભેલો જ છે, એ મારે સ્વાનુભવ છે!”
અનેકાન્તવાદને આ ભવ્ય સિધ્ધાન્ત સાંભળી લેકોનાં હૈયા આનન્દથી વિકસી ઉઠ્યાં. આ નૂતન દષ્ટિ પ્રત્યેકને આદરણીય લાગી. તેથી જ લેકનાં મુખમાંથી આ શબ્દો સરી પડ્યા. “કેવી વિશાળ ભાવના! કેવી વિશાળ દષ્ટિ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com