Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેના ઐતિહાસિક સાહિત્ય. કેમામાં થાય છે અને વખત જતાં તે રૂઢ (Conventional) થાય છે. તેથી પ્રરૂઢ ધાર્મિક શ્રદ્ધાને આવિર્ભાવ કળાનાં કામમાં થાય છે. તેથી કરીને કેટલીક ગુહાએ માત્ર “કુતરાની બોડ” કરતાં મોટી નથી. કેટલીક ગુહાઓમાં અને ખાસ કરીને જેનગુમ્ન, નવમુનિગુપ્પ, વિગેરેમાં જૈન અસર સ્પષ્ટ જણાય છે. તે ઉપર તીર્થંકરની આકૃતિઓ ઉપસેલી કાઢવામાં આવી છે. ડાકટર રાજેન્દ્રલાલે તેમને ભૂલથી બુદ્ધની છે એમ કહ્યું છે. સર્વ ગુહાએમાં મળીને જૈન તીર્થકરોની નગ્ન મૂર્તિઓ બુદ્ધની આકૃતિઓ કરતાં ઘણી વધારે છે. હાથીગુસ્કુ જેવી પ્રખ્યાત ગુહાના લેખમાં પણ જેની અસર જણાઈ આવે છે. એ લેખમાં જેને ડાકટર રાજેન્દ્ર શૈદ્ધ સ્વસ્તિક કહે છે તે ખરી રીતે જેને સ્વસ્તિક છે. વળી આરંભમાં નમસ્કાર પણ જેન તથા બદ્ધ રીતિ મુજબ છે. તેથી આપણે નિર્ણય ઉપર આવીએ કે ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓમાં જેન તથા બદ્ધ અસર વ્યક્ત છે. કેટલીક વખત જેન તથા બાદ્ધને ભેળસેળ થએલે હોય છે. બનારસમાં સારનાથ સ્તૂપ આગળ એક જેન દેવાલય છે. બુદ્ધગયામાં પણ એક જૈન દેવાલય છે. પાન. ૬૯ મારી એકસાઈ પ્રમાણે રાણી ગુમ્ફ તથા ગણેશગુમ્ફની ખૂલમાં કતરેલા પ્રખ્યાત જાતક ઉપરથી નથી. તે કારીગરોની કલ્પનાશક્તિથી કાઢેલા છે. નહિ કે બદ્ધ કથાઓમાંથી. ખાસ શૈદ્ધ આકૃતિઓના વિષયમાં, પાર્શ્વનાથની ભવિષ્યની સ્ત્રી પ્રભાવતીનું યવનેના હાથે હરણને દેખાવ તેમાં છે. એના ડીસ્ટ્રીકટ ગેઝેટીઅર, પુરી, ના પ્રકાશકના મતને હું મળતું નથી, અગર રાવણના હાથે સીતાનાં હરણને એ દેખાવ છે એમ કેટલાકને મત છે તેને પણ હું મળતો નથી. પાન. ૭૨-૭૩ અહીંની બદ્ધ ગુફાઓમાં ઝુલ ઉપર અગર આગળ પડતા તંભ ઉપર મેં નાગની આકૃતિ જોઈ નથી. તોપણ ખંડગિરિ ટેકરીની જેમ ગુલ્ફમાં મેં એક જોઈ હતી. કદાચ આ “મહારગ” હશે જે જૈન શાસ્ત્રોમાં કહેલા આઠ દેવમાંના એક છે- પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરૂષ, મહારગ અને ગંધર્વ. ગુહા મંદિરમાં ત્રિશૂળ, ઢાળ, કમળ વિગેરે દ્ધ ચિહ્નો આવે છે એ મેં ઉપર કહ્યું છે, પણ આશ્ચર્યની વાત છે કે કોઈ સ્થળે ધર્મચક જોવામાં આવ્યું નથી. જે ડાકટર મિત્રના કહેવા પ્રમાણે બૈદ્ધનું ઘણું જુનું ચિહ્ન છે અને જે પથ્થર ઉપર કાઢવા માટે ધર્મના ચિહ્ન તરીકે પ્રથમ ગ્રહણ કરવામાં આવ્યું હતું. બુદ્ધ બનારસમાં ધર્મચક્ર ફેરવ્યું હતું, જ્યાં બદ્ધમ નીચે પૂર્ણ જ્ઞાન મેળવીને ઉરૂબીરવ માંથી આવ્યા હતા. ટીપમાં, ડાકટર મિત્રે ભાષાંતર કરેલા લલિતવિસ્તરાને એક * * આછવક-કયાં જાઓ છો ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49