Book Title: Atmanand Prakash Pustak 014 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧૦ શ્રી આત્માન’પ્રાર વિશેષમાં વળી એમ જોવામાં આવે છે કે, આત્મા જે પદાર્થ, સ્થિતિ કે અ ધિકારની પ્રમળ વાસના રાખે છે તે તેને આ ભવ કે ભવાંતરમાં પ્રાપ્ત થયા પછી તેને તેમાં કાંઈ જ આનંદ આવતા નથી. ઉલટું જીવન તેને શાપમય થઈ પડે છે. તેણે તેમાં જે સુખ અને આનદદાયકપણ કલ્પેલુ હાય છે.તેવું કાંઈ તેના જોવામાં આવતું નથી. આથી તેની નિરાશાના પાર રહેતા નથી. ચક્રવર્તી રાજાએ અને અસંખ્ય મનુષ્યેાના જીવનને પાતાના હાથમાં રાખી શકનાર આપખુદ શહેનશાહેા ઘણીવાર કલ્પનામાં પણ ન આવી શકે એવુ માનસિક કષ્ટ અનુભવતા હાય છે. રાજગાઢી મેળવવામાં આડે આવનાર અન્ય હરીફાના રકતમાં તે નાહેલા હાય છે, અને તે બધાના પ્રેતાત્માઓના ભીષણુ આ નાદથી તેની નિદ્રા દુષ્ટ સ્વપ્નાથી ઉભરાઈ જતી હાય છે, હજારા મનુષ્યાનું લેાહી રૅડી રાજ્યાસન ઉપર આવનારે જે સુખ મેળવવું ધાર્યું હાય છે, અને પેાતાની તીવ્ર વાસનાને જે તૃપ્તિ આપવી ધારી રાખી હાય છે તે ભાગ્યેજ તેને મળી શકતી હાય છે. ઇતીહાસમાં જો કે તેમના આંતર જીવનનું ચિત્ર આપણે જોઇ શકતા નથી, છતાં શું એ વાત ખુઠ્ઠી નથી કે એ જીવનામાં આરામ કે શાંતિના તા નિતાન્ત અસંભવજ હોય છે ? કરાડાધિપતિ ઘણીવાર પેાતાના આંગણે: યાચી રહેલા ભીખારીએ કરતાં પણ અધિક દુખી અને પામર હોય છે. દ્રવ્યની, અધિકારની, ભાગ સામગ્રીની સરતમાં જેઓએ ઝુકાવ્યુ હાય છે તેમાંથી માટે ભાગ તા સરતના સ્થાને પહોંચતા પહેલા રસ્તામાંજ બીજા હરીફાની ધકાકીમાં કચરાઈને પડી જાય છે. સખળ મનુષ્ય પોતાથી સ્હેજ નિળને ઘાસના પૂળાની પેઠે રસ્તામાંથી ફેંકી દઇ પેાતાનુ વિઘ્ન ઓછું કરે છે. ખીજાએ તે પડી ગયેલા મનુષ્યના ઉપર કચરતા ચાલ્યા જાય છે. દુનીઆની સરતમાં ઉતરવાનું આ ફળ છે. વાસના અને સ્વાથી રાગ દ્વેષાનુ પરિણામ નિરાશામાંજ આવે છે. એટલુ જ નહી પણ પેાતાને હાનિ પણ તે કરી એસે છે. અમને એક મનુષ્યના સખધે સ્મૃતિમાં છે કે તે બીજાઆના અત્યંત તિરસ્કાર કરતા, દરેકને અને તેટલું ધીક્કારતા અને ખની શકે તેટલું તેમને નુકશાન પહોંચાડવા પ્રયત્ન કરતા. પરિણામ એ આવ્યું કે દ્વેષ, તિરસ્કાર, ઇર્ષ્યા આદિ અનિષ્ટ વૃત્તિઓની યંત્રણા જે આ વિશ્વમાં પૂર્ણ વેગમાં કામ કરી રહી છે તેને પેાતાના સંબંધે તેણે ગતિમાન કરી. તે રાક્ષસી માયાની જાળમાં તે મનુષ્ય એવા તેા ગુંચવાઇ ગયા કે હજારા મનુષ્યાને તેણે પોતાના દુશ્મના કર્યાં. તેણે હજારાના દ્વેષ અને ધિક્કાર પાતા તરફ ખેંચી લીધા. તે શરીરમાં, મનમાં, દ્રવ્યમાં હાલ હેવાલ મળી ગયા, અને અનંત માનસિક અને શારીરિક દુખ ખમવા લાગ્યા. હજારાનું ખુરૂ કરવા તે નીકળ્યે તેમાંથી ફક્ત તે એકનુજ પુરૂ કરી શકયા, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49