________________
રૂ૦
अस्पृशद्गतिवादः यदि च बहुश्रुता अपरथाऽपि समर्थयन्ति ।
तदा नास्माकमाग्रहः । न च ग्रन्थकृदभिप्रायमविविच्य शून्यतामात्रेणावस्थानमपि हितावहमिति विभा
–અસ્પર્શોપનિષદ્ – કરીએ છીએ. તેમાં વિવક્ષાભેદથી ગૌણ-મુખ્યભાવ દ્વારા જે તાત્પર્ય છે, તે પણ પૂર્વે જણાવ્યું જ છે અને જો બહુતો બીજી રીતે પણ તેનું સમર્થન કરતાં હોય, તો અમારી રીતમાં અમારો આગ્રહ નથી, કે આ જ રીતે સમર્થન કરવું જોઈએ. પણ ગ્રંથકારના અભિપ્રાયનો વિવેક કર્યા વિના શૂન્યતામાત્રથી – સુનમુન બેઠા રહેવું એ હિતાવહ નથી, એ વિદ્વાનોએ વિચારવું જોઈએ. આશય એ છે કે ચૂર્ણિકાર અને વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજીએ જે વ્યાખ્યા કરી છે, તેના તાત્પર્યનું અન્વેષણ કરવું જોઈએ. અનેક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જે પદાર્થ કહ્યો છે, તેની સાથે વિરોધ આવે એવી વ્યાખ્યા તે મહાપુરુષો શી રીતે કરે ? માટે આપણે તેમની વિવક્ષાનો વિવેક કરીને તેમના અભિપ્રાયને શોધવો જોઈએ, જેનાથી કોઈ વિરોધ કે અસંગતિ ન થાય. આ પ્રયાસ અમે કર્યો જ છે. બીજા કોઈ પણ